Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણજિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે પણ 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસનો કાર્યક્રમ કલેક્‍ટરાલયના પટાંગણમાં જ યોજવામાં આવશે. આન બાન અને શાન સાથે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની ઉજવણી જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના નેતૃત્‍વમાં કરવામાં આવશે.
સવારે 9:00 વાગ્‍યે યોજાનારા ધ્‍વજારોહનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ દ્વારા તિરંગો લહેરાવ્‍યા બાદ તેઓ વક્‍તવ્‍ય આપશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ બંને પ્રદેશોના મુક્‍તિ દિવસની ઉજવણી માત્ર ઔપચારિક બની ચુકી છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેવા સંગઠનો કે કોઈ જૂથ દ્વારા મુક્‍તિ દિવસની ઉજવણીને યાદગાર બનાવવાનો અવસર રહેલો છે.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ મુખ્‍ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા મતદારો માટે વોટ્‍સ એપ સેવા શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

દમણ જિલ્લા માટે ચૌપાલના નવતર પ્રયોગથી ગ્રામજનોમાં સુકા અને ભીના કચરા માટે આવી રહેલી જાગૃતિ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment