Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

શાળાના બાળકોને ગણિત પ્રત્‍યે રસરુચિ વધે અને ગમ્‍મત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તેવા પ્રયાસ રૂપે ‘ગણિત દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : સેલવાસ ટોકરખાડા મરાઠી માધ્‍યમની શાળામાં ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, 20મી સદીના દુનિયાના અને ભારતીય સૌથી મહાન અને સૌથી પ્રખ્‍યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ ઐયંગર રામાનુજનના જન્‍મ દિવસ 22મી ડિસેમ્‍બરને ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. તેજમ સેલવાસના ટોકરખાડા સ્‍થિત મરાઠી માધ્‍યમની શાળામાં આચાર્ય શ્રીમતી વિદ્યા ખરેના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ શાળાના શિક્ષકોના સુંદર સહકારથી વિદ્યાર્થીઓ સાથે રાષ્‍ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, વિદ્યાર્થીઓને ગણિત વિષય કઠિન અને કંટાળાજનક લાગતો હોય છે. ત્‍યારે આ શાળાના બાળકોને ગણિત પ્રત્‍યે રસરુચિ વધે અને ગમ્‍મત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તેવા પ્રયાસ રૂપે ‘ગણિત દિવસ’ની ઉજવણી કરી હતી જેમાં વિદ્યાર્થીઓએવિવિધ ગાણિતિક કોયડાઓ, પ્રોજેક્‍ટ્‍સ, મોડેલ્‍સ અને વૈદિક ગણિતની પ્રવૃતિ રજૂ કરી હતી અને આ બાળકોને ગમ્‍મત સાથે જ્ઞાન મળે તેવી પ્રવૃતિ કરવા માટે શાળાના આચાર્ય દ્વારા તમામ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્‍યા હતા.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

vartmanpravah

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

vartmanpravah

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment