(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રિજ નીચે ભીલાડ ગરનાળા તરફ જતા ખાંચામાં વચ્ચેની રેલિંગ ઉપરથી તા.૪/૧/૨૦૨૨ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યાની આસપાસ અજાણ્યો વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ આશરે સાડાપાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીર ઉપર કથ્થઇ કલરનું આખી બાંયનું ગુલાબી ટી-શર્ટ તથા કાળા કલરનો ટ્રેક પેન્ટ પહેર્યો છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.