February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

વલસાડ જિલ્લામાં 6,07,167 બાળકોને આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ અને 1.50 લાખ બાળકોને વિટામીન-એ ના ડોઝ પીવડાવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લોહતત્‍વ (હિમોગ્‍લોબીન) ખુબજ અગત્‍યનું સુક્ષ્મ ઘટક તત્‍વ છે. વધુમાં બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં લોહતત્‍વની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઇ શકે છે. દર વર્ષે વર્ષમાં બે વાર ફેબ્રુઆરી અને ઓગસ્‍ટ માસમાં કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોમીંગ કે દ્વારા 1 થી 19 વર્ષના તમામ બાળકોને સામુહિક રીતે આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટકળમિનાશક ગોળી આપવામાં આવે છે. આ વર્ષે ફેબ્રુઆરી-2022માં જિલ્લાના આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા શાળા/ આંગણવાડી તથા ઘરે-ઘરે જઇ તમામ ઘરોને આવરી લઇ બાળકોને તા. 10-02-2022 થી તા.17-02-2022 સુધી નેશનલ ડી વોર્મીંગ ડે (કૃમિનાશક)ની ઉજવણી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં કુલ 6,07,167 બાળકોને લક્ષ્યાંક મુજબ આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ (કળમિનાશક દવા)ખવડાવવામાં આવશે.
1 થી 5 વર્ષના તમામ બાળકોને તા. તા. 10-02-2022 થી થી 31-03-2022 દરમિયાન લક્ષ્યાંક મુજબ કુલ 1.50 લાખ બાળકોને વિટામીન-એ ના ડોઝ પીવડાવામાં આવશે. બાળકોમાં સંપૂર્ણ શારીરીક અને માનસિક વિકાસ સારી રીતે થાય તે માટે કળમિનાશક દવા તથા વિટામીન-એ તમામ બાળકોને આપવી ખૂબ જ જરૂરી છે.
રાષ્ટ્રીય કળમિનાશક દિવસ ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ નાગરિકોને સાથ સહકાર આપવા તથા તમામ જરૂરિયાતમંદ લોકો સુધી સંદેશ પહોચાડવા જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

દમણઃ ડાભેલ સ્‍થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્‍યક્‍તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્‍ટરને રાવ : દમણ જિલ્લા કલેક્‍ટરશ્રીને 500થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

મધ્‍યરાત્રીએ પારડી પોલીસના સપાટો: બેફામ ઝડપે પીકઅપ ચલાવતા 15 જેટલા પિકઅપ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment