Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

સવારે 10:00 વાગ્‍યે બારિયાવાડથી ‘આપણાં આંગણામાં પંચાયત’ કાર્યક્રમનો થનારો આરંભઃ સાંજે બોરિયા તળાવ ખાતેપૂર્ણાહૂતિ
લોકોને પોતાના ઘરઆંગણામાં રેસીડન્‍ટ, ડેથ અને બર્થ તથા ઈનકમ સર્ટીફિકેટ ઈશ્‍યૂ કરાશેઃ વોર્ડની સમસ્‍યાથી પણ પંચાયતની ટીમ રૂબરૂ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આવતી કાલ તા.24મી ડિસેમ્‍બરના રોજ સુશાસન સપ્તાહ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત આવતી કાલે લોકોના આંગણામાં પહોંચી સ્‍થળ ઉપર જ જરૂરિયાતમંદોને જરૂરી દસ્‍તાવેજોની ચકાસણી કર્યા બાદ રેસીડન્‍ટ સર્ટીફિકેટ, ડેથ અને બર્થ સર્ટીફિકેટ, ઈનકમ સર્ટીફિકેટ ઈશ્‍યૂ કરવામાં આવશે. તદ્‌ઉપરાંત ગામના વોર્ડની સમસ્‍યાથી પણ પંચાયતની ટીમ માહિતગાર થશે.
આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતેથી ‘આપણાં આંગણે દમણવાડા પંચાયત’ અભિયાનનો આરંભ થશે. ત્‍યારબાદ નવા જમ્‍પોર થઈ ઢોલરથી ભાઠૈયા, ભામટી, તળાવ ફળિયા, પલહિત અને બોરિયા તળાવ ખાતે પૂર્ણાહૂતિ કરાશે.

Related posts

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દાનહ અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવાના સંકલ્‍પને સાકાર કરવા પ્રશાસનિક પ્રયાસો તેજ

vartmanpravah

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

vartmanpravah

Leave a Comment