April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિરનું આયોજન વાપી ખાતે થયું હતું. આજરોજ પ્રથમ દિવસે વાપીના છરવાડા ખાતે આવેલ ઓસવાલ હોલ ખાતે 500 થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા, શિબિરમાં મુખ્‍ય મહેમાન તરીકે બી.કે. રશ્‍મિદીદી બ્રહ્માકુમારી સંસ્‍થા વાપી, વિઠ્ઠલભાઈપટેલ ભૂતપૂર્વ પ્રમુખ વાપી નગરપાલિકા અને રાજુભાઈ ભાલાણી વાપી તાલુકા પ્રમુખ ભારત સ્‍વાભિમાન ટ્રસ્‍ટ, ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિષપાલજી તેમજ સાઉથ ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ વલાસડ ડિસ્‍ટ્રીક્‍ટ કોઓર્ડીનેટર નિલેશ કોસિયા શિબિરનું સંચાલન કરી રહ્યા છે. શિબિરને સફળ બનાવવા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના વાપી અને ઉમરગામ તાલુકાના યોગ કોચ અને યોગ ટ્રેનર પરિશ્રમ કરી રહ્યા છે.

Related posts

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

Leave a Comment