Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિરનું આયોજન વાપી ખાતે થયું હતું. આજરોજ પ્રથમ દિવસે વાપીના છરવાડા ખાતે આવેલ ઓસવાલ હોલ ખાતે 500 થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા, શિબિરમાં મુખ્‍ય મહેમાન તરીકે બી.કે. રશ્‍મિદીદી બ્રહ્માકુમારી સંસ્‍થા વાપી, વિઠ્ઠલભાઈપટેલ ભૂતપૂર્વ પ્રમુખ વાપી નગરપાલિકા અને રાજુભાઈ ભાલાણી વાપી તાલુકા પ્રમુખ ભારત સ્‍વાભિમાન ટ્રસ્‍ટ, ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિષપાલજી તેમજ સાઉથ ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ વલાસડ ડિસ્‍ટ્રીક્‍ટ કોઓર્ડીનેટર નિલેશ કોસિયા શિબિરનું સંચાલન કરી રહ્યા છે. શિબિરને સફળ બનાવવા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના વાપી અને ઉમરગામ તાલુકાના યોગ કોચ અને યોગ ટ્રેનર પરિશ્રમ કરી રહ્યા છે.

Related posts

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

સરીગામ જીઆઇડીસીની માળખાકીય સુવિધામાં થનારો અદ્યતન સુધારોઃ અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇન બાદ સીઈટીપીની દરિયા સુધી પાઈપલાઈન નાખવા મળનારી 70 ટકા સહાય

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment