June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી

પિવાના પાણી, ઈન્‍ટરનેટ સેવા, પાર્કિંગ, શૌચાલયની અસુવિધા જેવા મુદ્દાઓથી અધિકારીઓને વાકેફ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલુ થતાની સાથે જ એસ.ટી. ડેપોનું વાપી હાઈવે જુની આર.ટી.ઓ. કચેરીમાં હંગામી બસ સ્‍ટેશનમાં સ્‍થળાંતર કરી દેવાયું છે પરંતુ બસ સ્‍ટેન્‍ડમાંમાં કોઈ પણ પ્રકારની સેવાઓની જોગવાઈ કરાઈ નથી તેથી અમદાવાદથી એસ.ટી. નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ નવિન ડેપોનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં મુસાફરોની સમસ્‍યાઓથી વાકેફ કરવામાં આવ્‍યા હતા.
નવનિર્માણ થયેલ વાપી ડેપોની મુલાકાતે ગુજરાત એસ.ટી. વિભાગના ઈ.ડી.પી. મેનેજર વલસાડ વિભાગના પ્રભારી એન.એસ. પટેલ પધાર્યા હતા. સ્‍થળ નિરીક્ષણ અને પ્રાથમિક સુવિધા અંગે અભ્‍યાસ કર્યો હતો. જેમાં તેમને પિવાના પાણી, શૌચાલય, પાર્કિંગ અને ઈન્‍ટરનેટ જેવી અસુવિધાઓ અંગે સ્‍થાનિક અધિકારીઓએ વાકેફ કર્યા હતા. આ પ્રસંગે કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખભાઈ પટેલએ અધિકારીઓને અવગત કર્યા હતા. જેમાં ખાસ કરીને અવર જવર કરી રહેલ બસોની ધુળની ડમરીઓ ના ઉડે તે માટે રોડ બનાવવાની પણ રજૂઆત કરાઈ હતી.

Related posts

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment