Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.
ઉમરગામ તાલુકાનાનારગોલ ગામ ખાતે આવેલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટના સહષાારધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્‍બર માસની અંદર ભવ્‍ય પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય કક્ષાનો આ પૂજાનો કાર્યક્રમ વર્ષે 23 ડિસેમ્‍બરથી 25 ડિસેમ્‍બર સુધી યોજાતો હોય છે જેમાં સમગ્ર દેશના દરેક રાજ્‍યથી હજારોની સંખ્‍યામાં માઁ નિર્મલાદેવીના અનુયાયીઓ નારગોલ ખાતે આવી પહોંચતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાંની અંદર અનુયાયીઓએ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નારગોલ સ્‍થિત નિર્મલ વન ખાતેના મંદિર તેમજ સહષાારધામને ભવ્‍યતાથી સજાવટ કરાયું હતું. આ કાર્યક્રમમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, ઉમરગામ 182ના ધારાસભ્‍ય રમણભાઈ પાટકર, નારગોલ ગામના સરપંચ સ્‍વીટી યતીન ભંડારી સહિત અનેક મહાનુભવોએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું નિર્મલાદેવી ટ્રસ્‍ટના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ દિનેશભાઈ રાય તેમજ સ્‍થાનિક ટ્રસ્‍ટી સીમાબેન શર્માએ ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું.

Related posts

વલસાડ હાઈવે ધાબા ઉપર પાર્ક કરેલી લક્‍ઝરી બસને કન્‍ટેનરે ટક્કર મારી : અકસ્‍માતમાં 12 ઉપરાંત ઘાયલ

vartmanpravah

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

Leave a Comment