December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે દાદરાથી લઈ ખાનવેલ સુધીનો રસ્‍તો અતિ બિસ્‍માર અને જર્જરિત થઈ ગયો હતો. આ ઉપરાંત અન્‍યો મહત્‍વના માર્ગો પણ ખખડધજ બન્‍યા હતા, જેના કારણે વાહનચાલકોને ઘણી તકલીફો વેઠવા પડતી હતી. કેટલીક જગ્‍યા પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હતા. જેનેપુરવાની કામગીરી કરવામાં આવતી, પણ ફરી વરસાદ પડતા જૈસે થે હાલત રહેતી હતી.
આ બાબતે દાનહ કલેક્‍ટરને તેમજ લાગતા વળગતા વિભાગોને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્‍તાઓનું યોગ્‍ય સમારકામ કરવામા આવતુ નહીં હતું. દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્‍યોએ ભાજપામાં પ્રવેશ મેળવ્‍યા બાદ હાલમાં પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ વિભાગ દ્વારા હાલમાં સેલવાસથી ખાનવેલ તરફના મુખ્‍ય રસ્‍તા પર નવીનિકરણની કાર્યવાહી હાથ ધરી છે. એજ રીતે અંતરિયાળ વિસ્‍તારના રસ્‍તાઓની પણ નવીનિકરણની કામગીરી હાથ ધરાશે એવું વિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું.

Related posts

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah

Leave a Comment