March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે દાદરાથી લઈ ખાનવેલ સુધીનો રસ્‍તો અતિ બિસ્‍માર અને જર્જરિત થઈ ગયો હતો. આ ઉપરાંત અન્‍યો મહત્‍વના માર્ગો પણ ખખડધજ બન્‍યા હતા, જેના કારણે વાહનચાલકોને ઘણી તકલીફો વેઠવા પડતી હતી. કેટલીક જગ્‍યા પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હતા. જેનેપુરવાની કામગીરી કરવામાં આવતી, પણ ફરી વરસાદ પડતા જૈસે થે હાલત રહેતી હતી.
આ બાબતે દાનહ કલેક્‍ટરને તેમજ લાગતા વળગતા વિભાગોને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્‍તાઓનું યોગ્‍ય સમારકામ કરવામા આવતુ નહીં હતું. દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્‍યોએ ભાજપામાં પ્રવેશ મેળવ્‍યા બાદ હાલમાં પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ વિભાગ દ્વારા હાલમાં સેલવાસથી ખાનવેલ તરફના મુખ્‍ય રસ્‍તા પર નવીનિકરણની કાર્યવાહી હાથ ધરી છે. એજ રીતે અંતરિયાળ વિસ્‍તારના રસ્‍તાઓની પણ નવીનિકરણની કામગીરી હાથ ધરાશે એવું વિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું.

Related posts

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા જન્‍માષ્ટમી પર્વની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

Leave a Comment