Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે દાદરાથી લઈ ખાનવેલ સુધીનો રસ્‍તો અતિ બિસ્‍માર અને જર્જરિત થઈ ગયો હતો. આ ઉપરાંત અન્‍યો મહત્‍વના માર્ગો પણ ખખડધજ બન્‍યા હતા, જેના કારણે વાહનચાલકોને ઘણી તકલીફો વેઠવા પડતી હતી. કેટલીક જગ્‍યા પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હતા. જેનેપુરવાની કામગીરી કરવામાં આવતી, પણ ફરી વરસાદ પડતા જૈસે થે હાલત રહેતી હતી.
આ બાબતે દાનહ કલેક્‍ટરને તેમજ લાગતા વળગતા વિભાગોને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્‍તાઓનું યોગ્‍ય સમારકામ કરવામા આવતુ નહીં હતું. દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્‍યોએ ભાજપામાં પ્રવેશ મેળવ્‍યા બાદ હાલમાં પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ વિભાગ દ્વારા હાલમાં સેલવાસથી ખાનવેલ તરફના મુખ્‍ય રસ્‍તા પર નવીનિકરણની કાર્યવાહી હાથ ધરી છે. એજ રીતે અંતરિયાળ વિસ્‍તારના રસ્‍તાઓની પણ નવીનિકરણની કામગીરી હાથ ધરાશે એવું વિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું.

Related posts

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

Leave a Comment