(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે દાદરાથી લઈ ખાનવેલ સુધીનો રસ્તો અતિ બિસ્માર અને જર્જરિત થઈ ગયો હતો. આ ઉપરાંત અન્યો મહત્વના માર્ગો પણ ખખડધજ બન્યા હતા, જેના કારણે વાહનચાલકોને ઘણી તકલીફો વેઠવા પડતી હતી. કેટલીક જગ્યા પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હતા. જેનેપુરવાની કામગીરી કરવામાં આવતી, પણ ફરી વરસાદ પડતા જૈસે થે હાલત રહેતી હતી.
આ બાબતે દાનહ કલેક્ટરને તેમજ લાગતા વળગતા વિભાગોને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામા આવતુ નહીં હતું. દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ ભાજપામાં પ્રવેશ મેળવ્યા બાદ હાલમાં પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ વિભાગ દ્વારા હાલમાં સેલવાસથી ખાનવેલ તરફના મુખ્ય રસ્તા પર નવીનિકરણની કાર્યવાહી હાથ ધરી છે. એજ રીતે અંતરિયાળ વિસ્તારના રસ્તાઓની પણ નવીનિકરણની કામગીરી હાથ ધરાશે એવું વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.