Vartman Pravah
ગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

મૃતક જીતેન્‍દ્ર ભીમજીભાઈ ભાનુશાલી ધરમપુર-કુંભારપાડા વિસ્‍તારમાં કરીયાણાની દુકાન ચલાવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ધરમપુર કુંભારપાડામાં કિરાનાની દુકાન ચલાવતા ભાનુશાલી વેપારીએ વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા એક્‍સપ્રેસ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરતા જિલ્લાના ભાનુશાલી સમાજમાં શોક સાથે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના કુંભારપાડા વિસ્‍તારમાં કરીયાણાની દુકાન ચલાવતા તેમજ સાંઈ એપાર્ટમેન્‍ટમાં રહેતા જીતેન્‍દ્રભાઈ ભીમજીભાઈ ભાનુશાળી ગતરોજ વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર એક્‍સપ્રેસ ટ્રેન નીચે કોઈ અગમ્‍ય કારણોસર પડતુ મુકી આપઘાત કર્યો હતો. મૃતક જીતેન્‍દ્રભાઈ તેમની બાઈક લઈને અતુલ રેલવે સ્‍ટેશને આવ્‍યા હતા અને ટ્રેન હેઠળ પડતું મુક્‍યું હતું. ટ્રેનના પાયલોટે સ્‍ટેશન માસ્‍ટરને જાણ કરી હતી. ત્‍યારબાદ જી.આર.પી.ની ટીમ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો લીધો હતો તેમજ ઓળખ પુરી કરી હતી. યુવાન ભાનુશાલી વેપારીએ અંતિમ દુઃખદ પગલું ભરી લેતા જિલ્લાના ભાનુશાલી સમાજમાંઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

Related posts

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

Leave a Comment