July 17, 2026
Vartman Pravah
ગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

મૃતક જીતેન્‍દ્ર ભીમજીભાઈ ભાનુશાલી ધરમપુર-કુંભારપાડા વિસ્‍તારમાં કરીયાણાની દુકાન ચલાવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ધરમપુર કુંભારપાડામાં કિરાનાની દુકાન ચલાવતા ભાનુશાલી વેપારીએ વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા એક્‍સપ્રેસ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરતા જિલ્લાના ભાનુશાલી સમાજમાં શોક સાથે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના કુંભારપાડા વિસ્‍તારમાં કરીયાણાની દુકાન ચલાવતા તેમજ સાંઈ એપાર્ટમેન્‍ટમાં રહેતા જીતેન્‍દ્રભાઈ ભીમજીભાઈ ભાનુશાળી ગતરોજ વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર એક્‍સપ્રેસ ટ્રેન નીચે કોઈ અગમ્‍ય કારણોસર પડતુ મુકી આપઘાત કર્યો હતો. મૃતક જીતેન્‍દ્રભાઈ તેમની બાઈક લઈને અતુલ રેલવે સ્‍ટેશને આવ્‍યા હતા અને ટ્રેન હેઠળ પડતું મુક્‍યું હતું. ટ્રેનના પાયલોટે સ્‍ટેશન માસ્‍ટરને જાણ કરી હતી. ત્‍યારબાદ જી.આર.પી.ની ટીમ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો લીધો હતો તેમજ ઓળખ પુરી કરી હતી. યુવાન ભાનુશાલી વેપારીએ અંતિમ દુઃખદ પગલું ભરી લેતા જિલ્લાના ભાનુશાલી સમાજમાંઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

Related posts

વાપી ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર પટેલની પુણ્‍યતિથિજી ઉજવણી કરાઈ

vartmanpravah

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

Leave a Comment