July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

ગીતાનગરમાં ગરીબ પરિવારને કોર્પોરેટર દિલીપ યાદવે નવું મકાન બનાવી આપ્‍યું : ફ્રુટ, અનાજ કીટ, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: આજે 17 સપ્‍ટેમ્‍બર એટલે ભારત વર્ષના લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીનો 72મો જન્‍મ દિવસ. દેશ આખો આજે તેમનો જન્‍મ દિવસ અનેક સેવાકીય કાર્યો અને નોખી, અનોખી રીતે ઉજવી રહ્યા છે તે અંતર્ગત વાપી શહેરમાં ભાજપ, પાલિકા પરિવારે શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી.
રાજ્‍યના કેબિનેટ નાણા અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, કોર્પોરેટર અને હોદ્દેદારોએ શહેરમાં શ્રી મોદીનો જન્‍મદિન અવિરત સેવા કાર્યો કરીને ઉજવ્‍યો હતો. તેમાં પ્રમુખ કાર્ય એ કરાયું હતું કે, ગીતાનગર વોર્ડના કોર્પોરેટર દિલીપયાદવ મોદીના પ્રત્‍યેક જન્‍મ દિનની ઉજવણી ગરીબોને નવુ મકાન બનાવી આપીને કરે છે તે મુજબ આજે ગરીબ બહેનને સરકારી પુરાવાના અભાવે નવુ મકાન વિવિધ યોજનામાં નહોતુ મળેલ તેથી નવિન મકાન બનાવી શ્રી કનુભાઈ દેસાઈને હસ્‍તે અર્પણ કરાયું હતું. આ પ્રસંગે ઉપ પ્રમુખ અભય શાહે જણાવ્‍યું હતું કે, આવું કામ હું અને મારા સાથી કોર્પોરેટરોએ શહેરના ગરીબો માટે મકાનો બનાવવા આગળ આવવું જોઈએ. આજે આ ઉપરાંત ભાજપ પરિવાર દ્વારા શહેરમાં કરાયેલ સેવા કાર્યોમાં સ્‍વચ્‍છતા અભિયાન ગીતાનગર સ્‍ટેશન રોડ, અનાજ કીટ વિતરણ ગીતાનગર, રક્‍તદાન શિબિર તેરાપંથ ભવન ને.હા. વાપી, ફ્રૂટ વિતરણ હરીયા હોસ્‍પિટલ અને વૃક્ષારોપણ સી.ઈ.ટી.પી. પ્‍લાન્‍ટ જી.આઈ.ડી.સી. વાપીનો સમાવેશ થાય છે.

Related posts

પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ દાનહના બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્‍શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

vartmanpravah

ભાજપના કેન્‍દ્રીય મંત્રી ડૉ. અલકા ગુર્જરના અતિથિ વિશેષ પદે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ‘સંગઠન પર્વ કાર્યશાળા’ યોજાઈ

vartmanpravah

સેલવાસમાં એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્‍ડર પહોંચાડવા નનૈયો

vartmanpravah

યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્મા એર ઈન્‍ડિયાના વિશેષ ફલાઈટથી દિલ્‍હી પહોંચતા પરિવાર સહિત પ્રદેશને થયેલી હૈયાધરપત

vartmanpravah

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

Leave a Comment