Vartman Pravah
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

કવરત્તી, તા.30 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના મુખ્‍ય મથકકવરત્તી પહોંચી અહીં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ, એન્‍જિનિયરો તથા કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.

આ પહેલાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાના નિધનના સમાચાર સાંભળી ખુબ જ વ્‍યથિત થયા હતા. તેમણે સો વર્ષનું સ્‍વસ્‍થ આયુષ્‍ય જીવી, અને દુનિયાભરને મા-દીકરાના અતૂટ પ્રેમના સાક્ષી બનાવીને આપણી વચ્‍ચેથી વિદાય લેનાર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના માતૃશ્રી હીરાબાના અવસાનના સમાચાર સાંભળીને વ્‍યથિત થયો છું, ભગવાન તેમના આત્‍માને શાંતિ આપે. ઓમ્‌ શાંતિ. માતૃદેવોભવઃ એમ ટ્‍વીટર ઉપર ટ્‍વીટ કરતા હિરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

રેવન્‍યુ શીરપડતર જમીન સાથણી ઝુંબેશ કાયમી ધોરણે નામે કરવા ધરમપુર વિસ્‍તારના 800 થી વધુ અરજદારોની કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment