Vartman Pravah
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

કવરત્તી, તા.30 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના મુખ્‍ય મથકકવરત્તી પહોંચી અહીં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ, એન્‍જિનિયરો તથા કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.

આ પહેલાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાના નિધનના સમાચાર સાંભળી ખુબ જ વ્‍યથિત થયા હતા. તેમણે સો વર્ષનું સ્‍વસ્‍થ આયુષ્‍ય જીવી, અને દુનિયાભરને મા-દીકરાના અતૂટ પ્રેમના સાક્ષી બનાવીને આપણી વચ્‍ચેથી વિદાય લેનાર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના માતૃશ્રી હીરાબાના અવસાનના સમાચાર સાંભળીને વ્‍યથિત થયો છું, ભગવાન તેમના આત્‍માને શાંતિ આપે. ઓમ્‌ શાંતિ. માતૃદેવોભવઃ એમ ટ્‍વીટર ઉપર ટ્‍વીટ કરતા હિરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

દાનહ જિલ્લાની નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીમાં લીનાબેન પટેલની ભવ્‍ય જીત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે જોગવાડ થી કાંકરીયા માર્ગ પર કારમાંથી દારૂ સાથે 3ની કરેલી ધરપકડ : રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

vartmanpravah

Leave a Comment