April 18, 2026
Vartman Pravah
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

કવરત્તી, તા.30 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના મુખ્‍ય મથકકવરત્તી પહોંચી અહીં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ, એન્‍જિનિયરો તથા કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.

આ પહેલાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાના નિધનના સમાચાર સાંભળી ખુબ જ વ્‍યથિત થયા હતા. તેમણે સો વર્ષનું સ્‍વસ્‍થ આયુષ્‍ય જીવી, અને દુનિયાભરને મા-દીકરાના અતૂટ પ્રેમના સાક્ષી બનાવીને આપણી વચ્‍ચેથી વિદાય લેનાર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના માતૃશ્રી હીરાબાના અવસાનના સમાચાર સાંભળીને વ્‍યથિત થયો છું, ભગવાન તેમના આત્‍માને શાંતિ આપે. ઓમ્‌ શાંતિ. માતૃદેવોભવઃ એમ ટ્‍વીટર ઉપર ટ્‍વીટ કરતા હિરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

Leave a Comment