Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

વાપીમાં જૈન રેલી યોજાઈ જ્‍યારે વલસાડમાં જૈન મુનીઓની આગેવાની હેઠળ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ભારતભરના જૈન સમાજમાં સમેત શિખર અને ગુજરાતના શૈત્રુંજય પાલીતાણા ગીરીરાજ માટે લડત ચાલી રહી છે તે ઉપલક્ષમાં વાપી અને વલસાડમાં સમસ્‍ત જૈન સમાજ દ્વારા રેલી સાથે દેખાવો અને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું છે.
ઝારખંડ સરકાર દ્વારા સમેત શિખરને પર્યટન સ્‍થળ તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર દેશના જૈનની લાગણી દુભાઈ છે. પવિત્ર યાત્રાધામમાં પર્યટન બનતા નિયમ-ધર્મનું પાલન નહી થશે. તેથી ઝારખંડ સરકારના નિર્ણય સામે જૈન સમાજ આંદોલન કરી રહેલ છે. બીજી તરફ ગુજરાત શૈત્રુંજય પાલીતાણા એટલે ગિરિરાજ અને સિધ્‍ધોની ભૂમિ છે. અહીં અસામાજીક તત્ત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલું થઈ ગઈ છે તેથીવાપી-વલસાડના સમસ્‍ત જૈન સમાજમાં લાગણી દુભાઈ છે તેથી વાપીમાં જૈન સમાજે મૌન રેલી કાઢી હતી. જ્‍યારે વલસાડમાં આજે સોમવારે જૈનના તમામ ફિરકાઓ સાથે મુનિશ્રીઓની આગેવાની હેઠળ રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું: રોહિણામાં ઘર બનાવવા પૈસા માંગનારા પુત્રને પિતાએ કુહાડીથીફ રહેંસી નાખ્‍યો

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment