December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

વાપીમાં જૈન રેલી યોજાઈ જ્‍યારે વલસાડમાં જૈન મુનીઓની આગેવાની હેઠળ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ભારતભરના જૈન સમાજમાં સમેત શિખર અને ગુજરાતના શૈત્રુંજય પાલીતાણા ગીરીરાજ માટે લડત ચાલી રહી છે તે ઉપલક્ષમાં વાપી અને વલસાડમાં સમસ્‍ત જૈન સમાજ દ્વારા રેલી સાથે દેખાવો અને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું છે.
ઝારખંડ સરકાર દ્વારા સમેત શિખરને પર્યટન સ્‍થળ તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર દેશના જૈનની લાગણી દુભાઈ છે. પવિત્ર યાત્રાધામમાં પર્યટન બનતા નિયમ-ધર્મનું પાલન નહી થશે. તેથી ઝારખંડ સરકારના નિર્ણય સામે જૈન સમાજ આંદોલન કરી રહેલ છે. બીજી તરફ ગુજરાત શૈત્રુંજય પાલીતાણા એટલે ગિરિરાજ અને સિધ્‍ધોની ભૂમિ છે. અહીં અસામાજીક તત્ત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલું થઈ ગઈ છે તેથીવાપી-વલસાડના સમસ્‍ત જૈન સમાજમાં લાગણી દુભાઈ છે તેથી વાપીમાં જૈન સમાજે મૌન રેલી કાઢી હતી. જ્‍યારે વલસાડમાં આજે સોમવારે જૈનના તમામ ફિરકાઓ સાથે મુનિશ્રીઓની આગેવાની હેઠળ રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

Leave a Comment