Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા. 02: 1972 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમનું 1લી જાન્‍યુઆરી, 2023ના રોજ વડોદરાની એક હોસ્‍પિટલમાં સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સમસ્‍યાઓના કારણે નિધન થયું હતું. તેમને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍ય સચિવ તરીકે સેવા આપવાનું ગૌરવ હતું, જ્‍યાં તેમણે તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મુખ્‍ય સચિવ તરીકે સેવા આપી હતી.
તેમના નિધન પર શોક વ્‍યક્‍ત કરતા, પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ જણાવ્‍યું હતું કે, તેમના બેચમેટ અને નજીકના મિત્રનું દુઃખદ અવસાન એ એક અપુરતી અંગત ખોટ છે. તેમણે કહ્યું કેડૉ. મંજુલા સૌથી તેજસ્‍વી, સૌથી સમર્પિત અને અત્‍યંત કર્તવ્‍યનિષ્ઠ અધિકારીઓમાંના એક હતા.
ડો. પી.કે. મિશ્રાએ યાદ કર્યું કે કેવી રીતે તેણીએ ડીડીઓ જામનગર, કલેક્‍ટર અમરેલી અને જૂનાગઢ અને વિવિધ વિભાગોના અધિક મુખ્‍ય સચિવ અને સરકારના મુખ્‍ય સચિવ તરીકે વિવિધ ક્ષમતાઓમાં ગુજરાતમાં સેવા આપી હતી. આ દરમિયાન તેણીએ કેન્‍દ્રમાં વાણિજ્‍ય મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ કામ કર્યું હતું. તેમણે અવલોકન કર્યું કે, તેણીએ ખૂબ જ વિશિષ્ટતા સાથે સેવા આપી છે અને એક વારસો છોડયો છે જે આવનારા વર્ષો સુધી જાળવી રાખવામાં આવશે.

Related posts

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું કરેલું વિતરણ: જિ.પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે પણ આપેલો સહયોગ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment