Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી તથા દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલે આજે સેલવાસ જિલ્લા ગ્રામીણના મસાટ મંડળનો પ્રવાસ કર્યો હતો. તેમણે મસાટ મંડળના બૂથ નંબર 168મા મંડળ કમીટિની સાથે બેઠક પણ કરી હતી.
અગામી લોકસભા 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલીમાં કમળને સોળે કળાએ ખિલવવા માટે ભાજપના તમામ પદાધિકારીઓ પોતાના તન મન અને ધનથી સમર્પણ ભાવ સાથે કામે લાગી ગયા છે. જેની કડીમાં શ્રી નવિનભાઈ પટેલે મસાટ મંડળના કામકાજનું નિરીક્ષણ કર્યું હતું.
આ બેઠકમાં સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના અધ્‍યક્ષ શ્રી રાજેશ વરઠા, મસાટ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રેખાબેન પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ સોલંકી, જિલ્લા મંત્રી શ્રી રમેશ પટેલ, એસ.સી.મોર્ચા સેલવાસ જિલ્લા ગ્રામીણના અધ્‍યક્ષ શ્રી દિલીપ માહ્યાવંશી, મંડળના પદાધિકારીઓ અને બૂથ અધ્‍યક્ષ સાથે પણ શ્રી નવિનભાઈ પટેલે ચર્ચા-વિચારણાં કરીહતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મસાટ મંડળના અધ્‍યક્ષ શ્રી અશ્વિન પટેલે કર્યું હતું અને તેમણે સંગઠનના કાર્ય અને બૂથ લેવલની જાણકારી પણ આપી હતી.

Related posts

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment