March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્‍વ-સહાય જૂથની રચના કરી સીવણકામ, બ્‍યુટીપાર્લર, બેગ મેકિંગ, કોમ્‍પ્‍યુટર કોર્સ, પાપડ, અથાણું, મશરૂમ ઉગાડવા જેવી પ્રવૃત્તિની અપાતી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્‍વઅને અનુભવી માર્ગદર્શન હેઠળ દમણના જિલ્લા કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવના નેજા હેઠળ આજે તા. 02 જૂન, 2022ના રોજ વિધવા બહેનો માટે કલેક્‍ટર કચેરીના સભાખંડમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક દરમિયાન કલેકટર દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, મહિલાઓ સમાજમાં શક્‍તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. આ સાથે તેમણે આ બહેનોને વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા. ખાસ કરીને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પર વધુ ભાર મૂક્‍યો હતો. આ સાથે તેમણે જણાવ્‍યું હતું કે, આ બહેનોને સંગઠિત કરીને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’નું આયોજન વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવે છે. સંસ્‍થા હેઠળ સ્‍વસહાય જૂથ (લ્‍ણ્‍ઞ્‍)ની રચના કરીને, તેઓ તેમની રુચિ અનુસાર કામ કરી શકે છે. જેમ કે સીવણકામ, બ્‍યુટી પાર્લર કોર્સ, બેગ મેકિંગ, કોમ્‍પ્‍યુટર કોર્સ, પાપડ, અથાણું, મશરૂમ ઉગાડવું જેવા ગૃહ ઉદ્યોગ વગેરે તમે તે જૂથ દ્વારા કરી શકો છો.
બેઠક દરમિયાન કલેકટર ડો. તપસ્‍યા રાઘવે આ બહેનોને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે, વહીવટીતંત્ર તમારી મદદ માટે હંમેશા તમારી સાથે છે. આ બેઠકમાં 70 જેટલી જરૂરિયાતમંદ બહેનો ઉપસ્‍થિત રહી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્‍યાણ વિભાગનો સહકારરહ્યો હતો.

Related posts

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા પુર જેવી સ્‍થિતિ સર્જાઈ

vartmanpravah

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

vartmanpravah

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment