Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

ચીખલીની ક્‍વોરીઓમાંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં નહીં આવતા સ્‍થાનિક ટ્રકમાલિકોની રોજીરોટીને અસર થતાં હડતાલનું શસ્ત્ર ઉગામ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: ચીખલી વિસ્‍તારની કેટલીક ક્‍વોરીઓમાંથી કોલસા, સિમેન્‍ટની ખાલી ગાડીઓ (રિટર્ન)માં ખનીજ ભરી અપાતા સપ્‍ટેમ્‍બર 2021માં ભારે વિવાદ સર્જાયો હતો ત્‍યારે સ્‍થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા તાત્‍કાલીન પ્રાંત અધિકારી અને પી.આઈ સહિતની મધ્‍યસ્‍થીમાં રિટર્ન ટ્રકોમાં ખનીજ ન ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડયો હતો અને હડતાલનો અંત આવ્‍યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આ સમાધાનનો ભંગ થતાં ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ સ્‍થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆતને ધ્‍યાને ન લઈ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ દાખવવામાં ન આવતા સ્‍થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર સીધી અસર થતા આજે ચાર જાન્‍યુઆરી બુધવારના રોજથી ફરી હડતાલનું રણશિંગુ ફૂંકવામાં આવ્‍યું છે અને આ અંગેની જાણ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિતનાઓને કરી દેવામાં આવી છે. હડતાળના એલાનથી 500 થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે અને ખનીજના વહન પર અસર થતાવિકાસના કામોને પણ વિપરીત અસર થશે.
ટ્રક એસોસિએશનના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ પરમારના જણાવ્‍યા અનુસાર ક્‍વોરીઓમાંથી બહારની રિટર્ન ગાડીઓ બોલાવી ખનીજ ભરી આપવામાં આવતા સ્‍થાનિક ટ્રક માલિકોની રોજી છીનવાતા આ પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બુધવારની સવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનું નક્કી કરાયું છે જેને પગલે 500 થી વધુ ટ્રકોના પૈડા થંભી જશે.

Related posts

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 7 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે : લુ લાગવાની શક્‍યતા

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment