July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

ચીખલીની ક્‍વોરીઓમાંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં નહીં આવતા સ્‍થાનિક ટ્રકમાલિકોની રોજીરોટીને અસર થતાં હડતાલનું શસ્ત્ર ઉગામ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: ચીખલી વિસ્‍તારની કેટલીક ક્‍વોરીઓમાંથી કોલસા, સિમેન્‍ટની ખાલી ગાડીઓ (રિટર્ન)માં ખનીજ ભરી અપાતા સપ્‍ટેમ્‍બર 2021માં ભારે વિવાદ સર્જાયો હતો ત્‍યારે સ્‍થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા તાત્‍કાલીન પ્રાંત અધિકારી અને પી.આઈ સહિતની મધ્‍યસ્‍થીમાં રિટર્ન ટ્રકોમાં ખનીજ ન ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડયો હતો અને હડતાલનો અંત આવ્‍યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આ સમાધાનનો ભંગ થતાં ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ સ્‍થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆતને ધ્‍યાને ન લઈ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ દાખવવામાં ન આવતા સ્‍થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર સીધી અસર થતા આજે ચાર જાન્‍યુઆરી બુધવારના રોજથી ફરી હડતાલનું રણશિંગુ ફૂંકવામાં આવ્‍યું છે અને આ અંગેની જાણ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિતનાઓને કરી દેવામાં આવી છે. હડતાળના એલાનથી 500 થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે અને ખનીજના વહન પર અસર થતાવિકાસના કામોને પણ વિપરીત અસર થશે.
ટ્રક એસોસિએશનના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ પરમારના જણાવ્‍યા અનુસાર ક્‍વોરીઓમાંથી બહારની રિટર્ન ગાડીઓ બોલાવી ખનીજ ભરી આપવામાં આવતા સ્‍થાનિક ટ્રક માલિકોની રોજી છીનવાતા આ પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બુધવારની સવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનું નક્કી કરાયું છે જેને પગલે 500 થી વધુ ટ્રકોના પૈડા થંભી જશે.

Related posts

કપરાડા ચાવશાળામાં માજી સરપંચની પત્‍નીને સાવકા પુત્રએ દાતરડું મારી રહેંસી નાખી ક્રુર હત્‍યા કરી

vartmanpravah

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

vartmanpravah

Leave a Comment