Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્‍કયુ ટીમ તૈનાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી,તા.04: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાનાબનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્‍વરિત સારવાર કરી જીવ બચાવી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્‍યમાં તા.10/1/2023 થી તા.20/01/2023 દરમિયાન ‘કરુણા અભિયાન-2023’નું આયોજન નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સંયુક્‍ત ભાગીદારીથી કરવામાં આવશે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ, રેસ્‍ક્‍યુટીમ, પશુ દવાખાનાની સેવાઓ પણ ઉપલબ્‍ધ કરાઈ છે.

‘કરુણા અભિયાન-2023′ માટે વનવિભાગ દ્વારા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્‍યાં છે. જેમાં નવસારી/જલાલપોર તાલુકાકક્ષાનું કંટ્રોલ રૂમ રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રી સુપા, જિલ્લા સેવા સદન બહુમાળી મકાન, પહેલો માળ, નવસારી. કંટ્રોલરૂમના અધિકારી શ્રીમતી હીનાબેન પટેલ સંપર્ક નંબર (02637) 259823 (મો) 9726620409, ગણદેવી તાલુકા માટે રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રી ગણદેવી, 104 દેવકૃપા કોમ્‍પ્‍લેક્ષ પેટ્રોલપંપ સામે, જય કિસાન હોસ્‍પિટલની બાજુમાં, ચાર રસ્‍તા ગણદેવી. કંટ્રોલરૂમના અધિકારી શ્રીમતી છાયાબેન પટેલ સંપર્ક નંબર (02634) 262145 (મો) 7069962831, ચીખલી તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી એ.જે.પડશાલા સંપર્ક નંબર 02634 233857 (મો) 9824623245, શ્રીઉતમભાઈ પટેલ સંપર્ક નંબર 02634 233857 (મો) 9327993752, ખેરગામ તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી કંટ્રોલ રૂમના અધિકારી શ્રી બી.આર.બારોટ, સંપર્ક નંબર 02634 233857 (મો) 7874705556, વાંસદા તાલુકા માટે વાંસદા રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી ચેતનભાઈ પટેલ, સંપર્ક નંબર 02630 223850 (મો) 9909474323, શ્રી જયેન્‍દ્રસિહ રાઠોડ (મો) 99793 47777 પર સંપર્ક કરવો.

નવસારી જિલ્લામાં કરુણા અભિયાનને સફળ બનાવવા માટે લોકોએ  ઘાયલ પક્ષીઓ દેખાતા તાત્‍કાલિક કરુણા અભિયાનના કંટ્રોલ સેન્‍ટર પર સંપર્ક કરવા સામાજિક વનીકરણ વિભાગ, નવસારીની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

નાની દમણના છપલી શેરી ખાતે સી.એસ.આર. અંતર્ગત સ્‍કોટ કાયશા દ્વારા નિર્મિત ટોયલેટ બોક્ષનું ખુલ્લી જગ્‍યામાં વહી રહેલું ગંદુ પાણી

vartmanpravah

નવસારી: અબ્રામા ખાતે ભારતીય કળષિ અનુસંધાન પરિષદના 93 મા સ્‍થાપનાદિનની ઉજવણી

vartmanpravah

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment