Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

સાયલી ઢીઢપાડા રહેતા આદિવાસી પરિવારનો ૯ વર્ષિય બાળક ચૈતા ગણેશ માહ્ના કોહલાનો નરબલી ચઢાયાની લોકોની આશંકા

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫ : વાપી સહિત દાદરા નગર હવેલી વિસ્તારમાં અરેરાટી પ્રસરાવેલી જધન્ય ઘટના વાપી કરવડ ગામે નહેરમાંથી નવ વર્ષિય કિશોરની ક્ષત વિક્ષત લાશ મળી હતી. સેલવાસ સાયલી ઢીઢપાડા ખાતે આદિવાસી પરિવારનો ચૈતા ગણેશ માહ્ના કોહલા ગુમ થયો હતો. તેની ગુમ અંગેની ફરિયાદ સેલવાસ પોલીસમાં પરિવારે નોîધાવી હતી. ત્રીજા દિવસે માસુમની ડેથબોડી વાપી નજીક કરવડ નહેરમાં માથા, પગ વગરની મળી આવી હતી. જેની ગુજરાત અને દાનહ પોલીસે હાથ ધરેલી ઝીણવટ ભરેલી તપાસમાં બાળકનુ માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે તેથી ઘટના વધુ રહસ્યમય બની ચૂકી છે.
અત્યંત અરેરાટી ઉપજાવતી ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. પરિવાર અને ગ્રામજનોઍ પોલીસમાં આવેદનપત્ર પાઠવીને અધર્મ કૃત્ય કરનારને પકડી સજા આપવાની આક્રોશ ભરેલી માંગ કરી છે. પોલીસ તપાસમાં મૃત બાળકના માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે. તેથી ગ્રામજનોઍ આક્ષેપ કર્યો છે કે બાળકનો નરબલી ચઢાવાયો છે. બીજી તરફ સેલવાસ પોલીસ હાલ મગનું નામ મરી પાડી રહી નથી તેથી લોકોનો રોષ વધતો ચાલ્યો છે.

Related posts

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

વલસાડ હાઈવે ધાબા ઉપર પાર્ક કરેલી લક્‍ઝરી બસને કન્‍ટેનરે ટક્કર મારી : અકસ્‍માતમાં 12 ઉપરાંત ઘાયલ

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

vartmanpravah

પારડીમાં મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં વિધાનસભામાં મળેલા વિજયની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

Leave a Comment