March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

બેંક અને જિલ્લા રજીસ્‍ટ્રાર કચેરીના અધિકારીઓ દ્વારા નાણાં ધીરનારના વ્‍યવસાય અંગે કાયદાકીય પ્રક્રિયા અને લોન અંગેની માહિતી પણ પ્રદાન કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: ચીખલીમાં નવસારી જિલ્લા પોલીસ વડા ડો.ઋષિકેશ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષ સ્‍થાને ડીવાયએસપી ચીખલી સહિત આસપાસના પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલા લોક દરબારમાં બેંકના પ્રતિનિધિ દ્વારા વ્‍યવસાયકારો માટે સરકારની મુદ્રા લોન સહિતની લોન યોજનાઓની ઉપસ્‍થિતોને જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા રજીસ્‍ટર દ્વારા નાણાં ધીરધારના વ્‍યવસાય માટે સરકારમાંથી લાયસન્‍સ મેળવવું ફરજિયાત છે અને લાયસન્‍સ મેળવ્‍યા બાદ સરકાર દ્વારા વખતે વખત નક્કી કરેલા દર મુજબ વ્‍યાજ લેવાનું હોય છે સરકાર દ્વારા નિયત કરાયેલા વ્‍યાજના દર કરતા વધુ વ્‍યાજ લઈ શકાતું નથી અને લાયસન્‍સ વિના કોઈ વ્‍યક્‍તિ વ્‍યાજનો ધંધો કરતો હોય તો તે ગેરકાયદેસર છે.
અધ્‍યક્ષ સ્‍થાનેથી જિલ્લા પોલીસવડા ડો.ઋષિકેશ ઉપાધ્‍યાય એ જણાવ્‍યું હતું કે વ્‍યાજખોરીના દૂષણને ડામવા સરકાર અભિયાન ચલાવી રહીછે ત્‍યારે ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો વ્‍યવસાય કરી વ્‍યાજ વસૂલનારાઓને ખુલ્લા પાડવા માટે કોઈપણ જાતના ડર અને સંકોચ રાખ્‍યા વિના આગળ આવો તેવો અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

vartmanpravah

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) શાળાનું ધો.૧૦નું પરિણામ

vartmanpravah

Leave a Comment