March 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.૧૮: વલસાડ જિલ્લામાં ગત સપ્તાહમાં માત્ર ચાર-પાંચ દિવસમાં 60 ઈંચ ઉપર વરસાદ ખાબકતા જનજીવન સહિત રોડ-રસ્‍તાઓમાં પુષ્‍કળ ખાનાખરાબી સર્જાઈ છે. તેમાં ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત કંગાલ બની ચૂકી છે. કંગાલ હાઈવે ઉપર એક એક ફૂટે મસમોટા પડી ગયેલા ખાડા જીવલેણ બની ચુક્‍યા છે તેથી હાઈવે ઓથોરીટી હાઈવે ઉપર ખાડા મરામત કરવામાં તદ્દન નિષ્‍ફળ રહી છે તેથી જનઆક્રોશ ભભુકી ઉઠયો છે.નિર્દોષ વાહન ચાલકો ખાડાઓને લીધે જીવ ખોઈ રહ્યા છે. વાહનો પલટી મારી રહ્યા છે તેમ છતાં ઓથોરીટી કુંભકર્ણ નિદ્રાધિન રહેતા પ્રજામાં વ્‍યાપક આક્રોશ ફાટી નિકળ્‍યો છે. તેનો પડઘો આજે જિલ્લા યુવા કોંગ્રેસે પાડયો હતો. પારનેરા પાસે હાઈવે જામ કરી કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા.
વલસાડ જિલ્લા પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે અને કાર્યકરોએ હાઈવે ઓથોરીટીના કાન પકડવા માટે પારનેરા નજીક હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. કાર્યકરો હાઈવે ઉપર બેસી જતા હાઈવેનો વાહનવહેવાર અટકી ગયો હતો. નેશનલ હાઈવેની કંગાલ હાલત બની ચૂકી છે. ચાર ચાર નિર્દોષ વાહન ચાલકોએ જીવ ગુમાવ્‍યા છે. વાહનો પટકાઈ પલટી મારી રહ્યા છે છતાં હાઈવે ઓથોરીટી ખાડા પુરવા કે રોડ મરામતની જરા પણ તસ્‍કી નહી લેતા પ્રજાનો રોષ આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે.

Related posts

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment