Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

કેન્‍દ્રીય પરિવહન વિભાગે વાપીથી ખાનપુર સુધીનો રોડ નાણામંત્રી કનુભાઈ દેસાઈની રજૂઆત બાદ મંજુર કરેલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વિતેલા ચોમાસામાં વાપીના મોટાભાગના રોડ બેહાલ બની ગયા હતા. તમામ રોડો ઉપર ખાડેખાડા પડી ગયા હતા તેથી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્‍દ્રીય પરિવહન વિભાગમાં નવિન રોડ બનાવવા અંગે ઉચ્‍ચ રજૂઆત કરી હતી. તેથી રોડ મંજુર થયેલ છે. તેથી વાપી જી.આઈ.ડી.સી. ચાર રસ્‍તાથી સેલવાસ ખાનપુર રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ બુધવારથી થઈ ગયો છે. કામગીરી શરૂ થયાની સાથે જ વાપી સેલવાસ રોડ ઉપર લાંબી લાંબી વાહનોની કતારો લાગતા સાથે સાથે ટ્રાફિક સમસ્‍યા પણ ઉદ્દભવી રહી છે.
વાપી-સેલવાસ રોડ ઉપર એવરેજ 20 હજાર જેટલા વાહનોની નિયમિત અવર-જવર થાય છે. તેથી ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ માટે જી.આઈ.ડી.સી. પોલીસે ડાયવર્ઝન અંગેનો અભ્‍યાસ હાથ ધર્યો છે. એકાદ બે દિવસમાં નિર્ણય લેવાઈ જશે.જો કે બીજી તરફ મોટાપોંઢા, કરવડ સહિતના ગામોનો ટ્રાફિક વધુ રહે છે. આ રોડ આર.સી.સી. બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. બીજુ ઓવરબ્રિજ બંધ થતા જી.આઈ.ડી.સી. ચાર રસ્‍તાથી ચણોદ સુધી પણ વાહનોનું ટ્રાફિક ભારણ વધ્‍યું છે તેથી પોલીસ માટે ટ્રાફિક ભારણ સમસ્‍યાની મોટી જવાબદારી આવી પડેલી છે.

Related posts

સમરોલીમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલે હોમ રેઈડ કરી રૂા. 8.32 લાખના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની કરેલી ધરપકડ : 4 વોન્‍ટેડ

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

પારસી ધર્મસ્‍થાનોના વિકાસ માટે અલ્‍પસંખ્‍યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

વાપીના ચલા ખાતે સન રેસીડેન્‍સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment