Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

બાબા જય ગુરુદેવ સંસ્‍થાનના સ્‍થાપક પૂ.પંકજજી મહારાજની યાત્રા ભારત ભ્રમણે 77 દિવસ માટે નિકળી છે : વાપીમાં સ્‍વાગત અને સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા આજે વાપીમાં આવી પહોંચતા અનુયાયીઓએ યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.
જય બાબા ગુરુદેવ સંસ્‍થાન મથુરાના સ્‍થાપક ગુરુ શ્રી પૂજ્‍ય પંકજજી મહારાજ મથુરાથી ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા લઈને નિકળ્‍યા છે. ભારત ભ્રમણ કરતી યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. ચણોદ મધર ઈંગ્‍લીશ સ્‍કૂલ પાસે યાત્રાનું અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. બાદમાં યાત્રા સત્‍સંગ સભામાં ફેરવાઈ હતી. સમાજમાં સદાચાર, ધર્માચાર, શાકાહાર અને સદાચારનો પ્રસાર-પ્રચાર થાય તે માટે જય બાબાગુરુદેવએ યાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રા ભારતમાં 77 દિવસ વિવિધ રાજ્‍યોમાં ફરજે. આજે યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કરી બાબા જય ગુરુદેવનો જય જયકાર કર્યો હતો.

Related posts

વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં 3 જાન્‍યુ.થી 6 જાન્‍યુ. દરમિયાન પંજાબ વિરૂધ્‍ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં લોક જનશક્‍તિ પાર્ટીએ ભાજપને કરેલા સમર્થનની જાહેરાતઃ ભાજપની તાકાતમાં વધારો

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

Leave a Comment