February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: ગણદેવી તાલુકાના બીલીમોરા દલીચંદ નગર ખાતે રહેતા અને ચીખલીના દેગામ ગામે વારીકંપનીના કમ્‍પાઉન્‍ડ પરિસરમાં શ્રી ઉમિયા ટ્રેડર્સ નામની કંપની ચલાવતા મનોજ નાથુભાઈ પટેલ (ઉ.વ-42) જે લાકડાની પેલેટ બનાવી વારી કંપનીને પેલેટ પૂરો પાડવાનો કોન્‍ટ્રાકટ હોય જ્‍યારે વીતેલા ત્રણ વર્ષથી વારી કંપનીમાંથી નીકળતું સ્‍ક્રેપ મટીરીયલ લેવાનો કોન્‍ટ્રાક્‍ટ મહમદ ઇઝહાર ઇસ્‍લામ કાદરી, મરોઝ ઉર્ફે ગુડડુ કુદરત ખાન તથા વિનોદ રામધની યાદવ તેમજ તેમના માણસો પાસે હતો. જે કોન્‍ટ્રાક્‍ટ છેલ્લા એકાદ માસથી વારી કંપનીએ મનોજ પટેલને આપી દેતા ઉપરોક્‍ત ઇસમોને ધંધા-રોજગારમાં અસર પડતા ધંધો બંધ કરી દેવા અવાર નવાર ધમકીઓ આપી તા.12-ડિસેમ્‍બર-24 ના રોજ કોન્‍ટ્રાક્‍ટ બાબતે મહમદ ઇઝહાર કાદરીએ મનોજ પટેલને ફોન કરી દેગામ શીતલ હોટલની બાજુમાં મળવા બોલાવી જણાવેલ કે અમે વારી કંપનીમાંથી નીકળતું સ્‍ક્રેપ મટીરીયલ લેતા હતા. પરંતુ તમારા લીધે અમારા ધંધા-રોજગારને અસર પડેલ છે. જેથી તું આ સ્‍ક્રેપ મટીરીયલ લેવાનું બંધ કરી દે તેમ કહેતા મનોજ પટેલે જણાવેલ કે આ કોન્‍ટ્રાક્‍ટ મને કંપનીએ આપેલ છે. જેથી તમે કંપનીમાં વાત કરો તેમ કહેતા ઉશ્‍કેરાયેલા મહમદ ઇઝહાર ઇસ્‍લામ કાદરી તથા વિનોદ રામધની યાદવે જણાવેલ કે અમારી પાસે બીજા ઘણા રસ્‍તા છે. તારે સલામત રહેવું હોય તો આ ધંધા બંધ કરીદેજે કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્‍યાંથી ભાગી જતા મનોજ નાથુભાઈ પટેલની ફરિયાદ આધારે મહમદ ઇઝહાર ઇસ્‍લામ કાદારી (રહે.વાપી), મરોઝ ઉર્ફે ગુડડુ કુદરત ખાન (રહે.વાપી ગીતાનગર જી.વલસાડ) તથા વિનોદ રામધની યાદવ (રહે.ઉમરગામ જી.વલસાડ) એમ ત્રણ જેટલા સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.
ચીખલીના દેગામ સ્‍થિત આવેલ વારી કંપનીમાં સ્‍ક્રેપ મટીરીયલના કોન્‍ટ્રાક્‍ટ બાબતે થયેલા ઉપરોક્‍ત વિવાદમાં મનોજ પટેલને બે-ત્રણ દિવસ પૂર્વે જ વારી કંપનીના સ્‍ક્રેપ મેનેજમેન્‍ટના મેઇન ઈન્‍ચાર્જ રાજેશ જૈન ઉપર સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે મુંબઈ ખાતે જીવલેણ હુમલો થયો હોવાનું જાણવા મળ્‍યા બાદ બનાવની ગંભીરતા સમજી ઉપરોક્‍ત ત્રણ જેટલા સામે ગુનો નોંધાવ્‍યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.

Related posts

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

પારડી પાલિકા દ્વારા બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ: 6 જેટલા વેપારીઓ 7પ થી ઓછી માઈક્રોનની થેલી આપતા ઝડપાયાઃ 3 હજાર જેટલો દંડ વસૂલ્‍યો

vartmanpravah

જો પંચાયતો જ દમણ-દીવને વિધાનસભા સહિતના ઠરાવો કરતી રહેશે તો એમ.પી.સાહેબ સંસદમાં તમારૂં શું કામ..?

vartmanpravah

વાપી-કોપરલીથી વીરપુર યુવાનો પદયાત્રાએ જવા નિકળ્‍યાં

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment