January 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લાયન્‍સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્‍દ્રમાં માનસિક અશક્‍ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી

રાતા પાંજરાપોળમાં 10 કિલો ગોળમાંથી મમરાના લાડુ બનાવી ગાયોને વિતરણ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: સમાજના દરેકક્ષેત્રમાં સામાજીક, આર્થિક અને માનસિક ઉત્‍થાનના ઉદ્‌ેશ સાથે વિશ્વભરમાં કાર્ય કરતી લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલની લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા રાતા પાંજરાપોળમાં આવેલ ગાયને લગભગ 10 કિ.ગ્રામ મમરા/ ગોળમાંથી બનાવેલ લાડવા આપવામાં આવ્‍યા. જેનાથી આ શિતળ ઠંડીમાં શારીરિક ગરમાટો મળે અને આ ગાયોની શારીરિક તંદુરસ્‍તી જળવાઈ રહે.
વધુમાં આજ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસના સભ્‍યો દ્વારા દેગામમાં આવેલ મનોવિકાસ કેન્‍દ્રની સંસ્‍થામાં રહેતા માનસિક રીતે અશક્‍ત બાળકો સાથે ક્‍લબના સભ્‍યોએ સંપૂર્ણ દિવસ વિતાવી ભોજન કરી તેઓને પારિવારિક હુંફ આપી સમાજ તેઓની સાથે જ છે તેવુ અહેસાસ કરાવી માનસિક મનોબળ પુરુ પાડવાની સામાજીક નૈતિક જવાબદારી નિભાવી હતી.
લાયન્‍સ ક્‍લબની સામાજીક અને માનવીય પ્રવૃત્તિથી પ્રેરણા લઈને ઉપરોક્‍ત બન્ને કાર્ય માટે ક્‍લબના સભ્‍ય અને ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2ના ફૂડ ફોર હંગરના ચેરમેન લા.સ્‍મીતાબેન મહેતાના કૌટુંબીક સ્‍નેહીશ્રી ભીખાલાલ શેઠ; માલતીબેન કામદાર અને હેતલબેન મહેતા પરિવાર તરફથી સંપૂર્ણ આર્થિક યોગદાન આપવામાં આવ્‍યુ હતું.
મનો વિકાસ કેન્‍દ્ર, દેગામના સંચાલકો દ્વારા આવા માનસિક ઉણપ ધરાવતાં બાળકો પારિવારીક હુંફ આપી તેઓમાં ઉત્‍સાહ વધારવા બદલ દાતા પરિવાર સહિત લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસના સભ્‍યોલા.સ્‍મીતાબેન મહેતા, શૈલેષભાઈ સંઘવી વગેરે સભ્‍યોનો આબાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દીવના લોકોને નતમસ્‍તક વંદન કરતા ઉમેશભાઈ પટેલઃ પરિણામ બાદ પહેલી વખત દીવ પધારતા નવનિયુક્‍ત સાંસદનું કરાયું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

ચીખલીનાં મજીગામમાં રાત્રીના દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

Leave a Comment