Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણ દલવાડાના સુપ્રસિદ્ધ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં આયોજીત 7 દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાના પાંચમા દિવસે વૃંદાવન ધામના કથાવાચક અનંતાચાર્યજીમહારાજે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્‍ણ બાળ લીલા, કાળીનાગ મર્દન તથા ગોવર્ધન પૂજાની કથા રોચક શૈલીમાં સંભળાવી હતી.
ભગવાન શ્રી કૃષ્‍ણએ બાળપણમાં અનેક લીલાઓ કરી હતી. બાળ કૃષ્‍ણ દરેકનું મન મોહી લેતા હતા. નટખટ સ્‍વભાવના કારણે યશોદા માતા પાસે તેમની દરરોજ ફરિયાદો આવતી હતી. માઁ તેમને કહેતી હતી કે તું દરરોજ માખણ ચોરી કરીને ખાયા કરે છે ત્‍યારે તે મોઢું ખોલીને બતાવતો હતો કે મેં માખણ નથી ખાધું.
ભગવાન શ્રી કૃષ્‍ણએ કહ્યું હતું કે, ઈન્‍દ્રમાં શું શક્‍તિ છે? તેનાથી વધુ શક્‍તિશાળી તો આપણો ગોવર્ધન પર્વત છે. જેના કારણે જ વરસાદ થાય છે. આપણે ઈન્‍દ્રથી બળવાન ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ઘણાં વિવાદો પછી શ્રી કૃષ્‍ણની આ વાત માનવામાં આવી અને વ્રજમાં ગોવર્ધન પૂજાની તૈયારીઓ શરૂ થઈ હતી. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ભક્‍તિના સાગરમાં મંત્રમુગ્‍ધ બની ગયા હતા.
અત્રે યાદ રહે કે, જયરામદાસ અગ્રવાલ ચેરીટેબલ દ્વારા બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરના પાટોત્‍સવના ઉપલક્ષમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related posts

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગની મહિલાઓને 2000 ગીર ગાયોનો લાભ આપશે

vartmanpravah

‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા આયોજીત સાયકલ રેલીને મળેલું પ્રચંડ સમર્થનઃ સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ થયેલું લોન્‍ચિંગ

vartmanpravah

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

Leave a Comment