Vartman Pravah
દમણદીવસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્રે થનારા અદ્‌ભૂત વિકાસનો પડઘો પાડતું બજેટઃ પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ(દાદા)

આજના સમયના મહત્‍વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્‍યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂ મોદી સરકારનું પ્રગતિલક્ષી બજેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ 2023-24ના બજેટને આજના સમયના મહત્‍વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્‍યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂં ગણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ક્ષેત્રે રૂા.10 લાખ કરોડના અભૂતપૂર્વ રોકાણનાલક્ષ્યાંકથી યુવાનોને રોજગાર અને એક મોટી વસતી માટે આવકની તક ઉભી થશે.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલે(દાદા)એ સિનિયર સીટીઝનો માટે 15 લાખની લિમિટને વધારીને 30 લાખ કરવાની જોગવાઈને પણ વધારી છે. આ બજેટમાં પશુપાલન, ડેરી અને મત્‍સ્‍યપાલન પર ધ્‍યાન આપવા ઉપરાંત કૃષિ દેવાના લક્ષ્યને વધારી 20 લાખ કરોડ રૂપિયા કરવાની કરેલી જાહેરાતથી ખેડૂત અને માછીમાર સમાજને વ્‍યાપક ફાયદો થશે એવી લાગણી પણ તેમણે વ્‍યક્‍ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ રાજ્‍યોની સક્રિય ભાગીદારી સરકારી અને જાહેર ભાગીદારી સાથે મિશન મોડ ઉપર પ્રવાસનને પ્રોત્‍સાહન આપવાની કરેલી જાહેરાતથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો પ્રવાસન ક્ષેત્રે અદ્‌ભૂત વિકાસ થશે એવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

vartmanpravah

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

Leave a Comment