આજના સમયના મહત્વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂ મોદી સરકારનું પ્રગતિલક્ષી બજેટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ 2023-24ના બજેટને આજના સમયના મહત્વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂં ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે રૂા.10 લાખ કરોડના અભૂતપૂર્વ રોકાણનાલક્ષ્યાંકથી યુવાનોને રોજગાર અને એક મોટી વસતી માટે આવકની તક ઉભી થશે.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલે(દાદા)એ સિનિયર સીટીઝનો માટે 15 લાખની લિમિટને વધારીને 30 લાખ કરવાની જોગવાઈને પણ વધારી છે. આ બજેટમાં પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન પર ધ્યાન આપવા ઉપરાંત કૃષિ દેવાના લક્ષ્યને વધારી 20 લાખ કરોડ રૂપિયા કરવાની કરેલી જાહેરાતથી ખેડૂત અને માછીમાર સમાજને વ્યાપક ફાયદો થશે એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ રાજ્યોની સક્રિય ભાગીદારી સરકારી અને જાહેર ભાગીદારી સાથે મિશન મોડ ઉપર પ્રવાસનને પ્રોત્સાહન આપવાની કરેલી જાહેરાતથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો પ્રવાસન ક્ષેત્રે અદ્ભૂત વિકાસ થશે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી.