July 17, 2026
Vartman Pravah
દમણદીવસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્રે થનારા અદ્‌ભૂત વિકાસનો પડઘો પાડતું બજેટઃ પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ(દાદા)

આજના સમયના મહત્‍વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્‍યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂ મોદી સરકારનું પ્રગતિલક્ષી બજેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ 2023-24ના બજેટને આજના સમયના મહત્‍વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્‍યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂં ગણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ક્ષેત્રે રૂા.10 લાખ કરોડના અભૂતપૂર્વ રોકાણનાલક્ષ્યાંકથી યુવાનોને રોજગાર અને એક મોટી વસતી માટે આવકની તક ઉભી થશે.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલે(દાદા)એ સિનિયર સીટીઝનો માટે 15 લાખની લિમિટને વધારીને 30 લાખ કરવાની જોગવાઈને પણ વધારી છે. આ બજેટમાં પશુપાલન, ડેરી અને મત્‍સ્‍યપાલન પર ધ્‍યાન આપવા ઉપરાંત કૃષિ દેવાના લક્ષ્યને વધારી 20 લાખ કરોડ રૂપિયા કરવાની કરેલી જાહેરાતથી ખેડૂત અને માછીમાર સમાજને વ્‍યાપક ફાયદો થશે એવી લાગણી પણ તેમણે વ્‍યક્‍ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ રાજ્‍યોની સક્રિય ભાગીદારી સરકારી અને જાહેર ભાગીદારી સાથે મિશન મોડ ઉપર પ્રવાસનને પ્રોત્‍સાહન આપવાની કરેલી જાહેરાતથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો પ્રવાસન ક્ષેત્રે અદ્‌ભૂત વિકાસ થશે એવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે નેહરુ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડમાં રમત-ગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

vartmanpravah

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

Leave a Comment