Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

સંઘપ્રદેશ 3Dને પોતાની યુનિવર્સિટી મળે તે માટે પસાર કરાયેલો ઠરાવ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.01 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા આજે ‘વિદ્યાર્થી હુંકાર’ જિલ્લા વિદ્યાર્થી સંમેલન, દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે યોજવામાં આવ્‍યું હતું. જેમાં દમણ, સેલવાસાની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સંમેલનમાં વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થી નેતાઓના વક્‍તવ્‍યો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ ‘વિદ્યાર્થી હુંકાર’સંમેલનમાં સંઘપ્રદેશ 3ડીને પોતાની યુનિવર્સિટી મળે તે માટે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો. જેને વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓએ આ પ્રસ્‍તાવને આવકાર્યો હતો. આ દરખાસ્‍ત આગામી દિવસોમાં વહીવટી તંત્રને એક મેમોરેન્‍ડમ હેઠળ રજૂ કરવામાં આવશે. આ ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલનમાં એબીવીપી ગુજરાત રાજ્‍યના મંત્રી સુશ્રી યુતિબેન પ્રદીપ, અને શ્રી કેવિનભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્‍યો

vartmanpravah

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment