Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ વાપીમાં પધારશે

આર.કે. દેસાઈ કોલેજમાં નવનિર્મિત વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કરશે : મુખ્‍ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્ર પટેલ આવતી કાલે શુક્રવાર વાપીની મુલાકાતે પધારી રહ્યા છે. વાપી આર.કે. દેસાઈ મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા કોલેજ કેમ્‍પસમાં નવનિર્મિત થયેલ વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેનાર છે.
આર.કે. દેસાઈ કોલેજ કોપરલી રોડ વાપી કેમ્‍પસ ખાતે આવતીકાલે તા.03-02-2023ને શુક્રવારના રોજ સવારે 09 કલાકે આર.કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા નવનિર્માણ થયેલ વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. વાણિજ્‍ય મહાવિદ્યાલયભવનનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલના હસ્‍તે થનાર છે તેમજ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેશે. એક અકબારી યાદી દ્વારા ટ્રસ્‍ટ ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ સેક્રેટરી કમલ આર. દેસાઈએ જણાવેલ છે.

Related posts

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

Leave a Comment