Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ વાપીમાં પધારશે

આર.કે. દેસાઈ કોલેજમાં નવનિર્મિત વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કરશે : મુખ્‍ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્ર પટેલ આવતી કાલે શુક્રવાર વાપીની મુલાકાતે પધારી રહ્યા છે. વાપી આર.કે. દેસાઈ મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા કોલેજ કેમ્‍પસમાં નવનિર્મિત થયેલ વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેનાર છે.
આર.કે. દેસાઈ કોલેજ કોપરલી રોડ વાપી કેમ્‍પસ ખાતે આવતીકાલે તા.03-02-2023ને શુક્રવારના રોજ સવારે 09 કલાકે આર.કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા નવનિર્માણ થયેલ વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. વાણિજ્‍ય મહાવિદ્યાલયભવનનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલના હસ્‍તે થનાર છે તેમજ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેશે. એક અકબારી યાદી દ્વારા ટ્રસ્‍ટ ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ સેક્રેટરી કમલ આર. દેસાઈએ જણાવેલ છે.

Related posts

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

પરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોટી દમણના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી રાહુલ મનસુખ દુબે નામનો યુવક ગુમ

vartmanpravah

Leave a Comment