April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.03: પ્રાપ્ત વિગત મુજબ આઠ જેટલા વોર્ડ સભ્‍યો ધરાવતી બામણવાડા ગ્રામ પંચાયતના ડેપ્‍યુટી સરપંચ ઉમાબેન શ્રી રાકેશભાઈ પટેલ સામે કામોમાં અડચણ ઊભી કરી હોદ્દાનો દુરુપયોગ કરી વિકાસની યોજનાઓ અટકાવી ગ્રામસભામાં થયેલ ઠરાવને રદ્‌ કરવા જેવી પ્રવૃત્તિ કરતા હોવાનું જણાવી સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત થોડા દિવસ પૂર્વે રજૂ કરવામાં આવી હતી.
આ અવિશ્વાસની દરખાસ્‍ત સંદર્ભે સરપંચ જયશ્રીબેન ભરતભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી સુરેશભાઈની ઉપસ્‍થિતિમાં સામાન્‍ય સભા યોજવામાં આવતા ત્રણ સભ્‍યોની ગેરહાજરી વચ્‍ચે સરપંચ અને સભ્‍યો મળી છ જેટલા મતો અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં આવતા ઉપસરપંચ સામે 2/3 ની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં ઉપસરપંચે હોદ્દો ગુમાવવાની નોબત આવી છે.
બામણવાડા ગ્રામ પંચાયતના સભ્‍યોએ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર કરી ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરાતા સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાવા પામ્‍યું છે.

Related posts

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

Leave a Comment