April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

રોફેલ એમબીએના વિદ્યાર્થીઓએ 120 યુનિટ રક્‍તદાન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ગત તા.03-02-2023 ને શુક્રવારના રોજ ગુજરાત રાજ્‍યના કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના જન્‍મ દિવસ નિમિત્તે રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત બીબીએ, બીસીએ, એમબીએ કોલેજ તેમજ રોટરી ક્‍લબ ઓફ વાપી અને ન્‍યુકેમ બ્‍લડબેંક અને રોટરી સુઝલોન બ્‍લડ કોમ્‍પોર્નેટ સેન્‍ટર દ્વારા સ્‍વૈચ્‍છિક રક્‍તદાન શિબિરનું આયોજન રોફેલ જી.આઈ.ડી.સી. કેમ્‍પસ પર કરવામાં આવ્‍યું હતું.
જન્‍મદિવસ તો હરકોઈ ઉજવે છે પરંતુ આપણા ગુજરાત રાજ્‍યના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની જન્‍મદિવસ ઉજવવાની આ અનોખી રીત સૌના હૃદયને મનભાવન બનાવે છે.
સાચું જ કહેવાય છે‘‘પોતાની ઈચ્‍છાથી કોઈની મદદ કરવા માટે આપેલું ‘લોહીનું ટીપું’ એ જ સાચું રક્‍તદાન” લોહીનું એક ટીપું ગમે ત્‍યાં પડે તો તેની કોઈ કિંમત નથી પરંતુ આજ લોહીનું એક ટીપું કોઈના ઉપયોગમાં આવે તો એનું જીવન મોતીના જેમ ચમકી ઊઠે છે. આ રક્‍તદાન શિબિરમાં રોફેલ બીબીએ, બીસીએ કોલેજના એનએસએસ તેમજ રોફેલ એમબીએ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 120 બોટલ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યા હતા.
રક્‍તદાન મહાદાન એનાથી મોટું કોઈ દાન નથી. આ કાર્યક્રમને સફળ બનાવવા રોફેલ બીબીએ બીસીએ કોલેજના આચાર્ય શ્રીમાન ડો.પ્રિયકાંત વેદ તેમજ રોફેલ એમબીએ કોલેજના ડાયરેક્‍ટર શ્રીમાન ડો.કેદાર શુકલા, એનએસએસ પ્રોગ્રામ કોર્ડિનેટર આસી. પ્રોફેસર જ્‍યોતિ વર્મા તેમજ આયુષી દેસાઈ અને એનએસએસ સ્‍વયંસેવકો દ્વારા સફળ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ તમામનો રોફેલ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

Leave a Comment