March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

મનોચિકિત્‍સકો અને વિષય નિષ્‍ણાતોનો સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્‍યા સુધી સંપર્ક કરી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07 : વલસાડ જિલ્લામાં આગામી માર્ચ-2023માં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઆપશે. સ્‍વાભાવિક રીતે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા અને ઉન્‍માદ અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણો અને મુંઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્‍ત અને હકારાત્‍મક વલણ સાથે કારકીર્દીની સીમાચિホરૂપ બોર્ડની પારીક્ષામાં જ્‍વલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન દ્વારા તેમને મુંઝવતા પ્રશ્નો માટે સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્‍યા દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે. આ હેલ્‍પલાઈન વર્ષ 2018થી શરૂ કરવામાં આવી હતી. જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લગતી મુંઝવણનું માર્ગદર્શન મેળવતા આવ્‍યા છે. તથા વધુ માર્ગદર્શન માટે મનોચિકિત્‍સક ડો. કિરણકુમાર વાધીયા, મનોચિકિત્‍સક વિભાગ, વલસાડ(મો.નં. 8128586443), તૃપ્તિબેન વ્‍યાસ કાઉન્‍સેલર અને શિક્ષક (મો.નં. 8141025595), મનોચિકિત્‍સક અને કાઉન્‍સેલર ભુમિ થોરાટ(મો.નં. 8160788583), અરનાઝ છેલા (મો.નં. 9375777495)નો સંપર્ક કરવાનો રહેશે.

Related posts

નાની દમણ કોલેજ રોડ પાસેથી એક અજાણ્‍યા ઈસમની લાશ મળી આવી

vartmanpravah

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

Leave a Comment