April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.08: સેલવાસના ઝંડાચોક દેના બેંક બીલ્‍ડીંગમા રહેતા એક યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી દિલબહાદુર અજીકેશી રહેવાસી ઝંડાચોક દેના બેંક બીલ્‍ડીંગ સેલવાસ અને દેના બેંકમા સીક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જેમનો પુત્ર નિર્પ દિલબહાર કેશી (ઉ.વ.18) જે દેવકીબા મોહનસિંહ કોલેજમાં અભ્‍યાસ કરે છે જે ગત 19જાન્‍યુઆરીના રોજ બપોરે બે વાગ્‍યાના સુમારે ઘરે જમીને સેલવાસ લાઈબ્રેરીમાં વાંચવા માટે જાઉં છું, એમ કહીને બેગ લઈ ઘરેથી નીકળી ગયો હતો. જે પછી સાંજે પાંચ વાગ્‍યા સુધી ઘરે પરત નહીં આવતા એના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરેલ પરંતુ મોબાઈલ સ્‍વીચ ઓફ હતો. ત્‍યારબાદ આજુબાજુ તેમજ સગાં-સબંધી-મિત્રોને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નહિ. ત્‍યારબાદ નિર્પ ગુમ થયો હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાવી હતી. જો કોઈને આ યુવાન અંગે કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યુ છે.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment