July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈ આજે નરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’એ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પૂર્ણ પ્રતિમા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્‍થાપિત કરવા તથા કરાડ કોલેજમાં ડોક્‍ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું પુરૂં નામ લખવા અને પ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીનીતસવીર લગાવવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ ધરણાં પ્રદર્શનમાં ‘સંવિધાન ગૌરવ સમિતિ’ના સભ્‍યો, દાનહની સામાજીક સંસ્‍થા, આમ્‍બેડકરવાદીઓ, શિવાજી સંગઠનના પ્રતિનિધિઓ, મહિલા સંગઠનો સહિત મોટી સંખ્‍યામાં સમિતિના સભ્‍યો જોડાયા હતા.

Related posts

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલ અત્‍યાચારને બંધ કરાવવા હિન્‍દુ હિત રક્ષા સમિતિ, સેલવાસ દ્વારા રેલી-ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી કલેક્‍ટરને સોંપાયું આવેદન પત્ર

vartmanpravah

Leave a Comment