Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

મોટાભાગના વાલીઓની આર્થિક સ્‍થિતિ યોગ્‍ય નહીં હોવાથી પોતાના બાળકોના અભ્‍યાસ માટે શાળા તથા ટયુશન સુધી લાવવા-લઈ જવા ખાનગી વાહનનો ઉપયોગ કરવો શક્‍ય નથી તેથી ગિયરવાળા ટુવ્‍હીલરનો ઉપયોગ કરાતા પોલીસ દ્વારા વસૂલાતા ભારે દંડ અને તેમનાથી બચવા બાળકો દ્વારા કરાતી દોડાદોડના કારણે અકસ્‍માતોની પણ વધેલી સંખ્‍યા

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક-પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીને ડ્રાઈવિંગ લાયસન્‍સ પ્રાપ્ત કરવાની વયમર્યાદા 18 વર્ષથી ઘટાડી 16 વર્ષ કરવા માટે તર્કસંગત રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીએ પોતાના પત્રમાં જણાવ્‍યું છે કે, આજે ભાગદોડવાળી જીંદગીમાં બાળકો ગિયરવાળા દ્વીચક્રી વાહનોનો ઉપયોગ શાળામાં આવવા અને જવા માટે કરે છે. જેના કારણે તેમના વાલીઓને પણ ચિંતા ઓછી રહે છે. કારણ કે, મોટાભાગના વાલીઓ નોકરી-ધંધા માટે વ્‍યસ્‍ત રહેતા હોય છે અને તેમને રીક્ષા કે બીજા વાહનોનો ખર્ચ પરવડી શકતો નથી. જેના કારણે પોતાના બાળકના સુંદર ભવિષ્‍ય માટે દ્વીચક્રી વાહન આપવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ રહેતો નથી.
દ્વીચક્રી વાહન ચલાવતા બાળકોને પકડવા માટે પોલીસ દ્વારા કરાતા અભિયાનના કારણે તેમની પાસે લાયસન્‍સ નહીં હોવાથી પોલીસને જોઈ ભાગદોડ કરાતા અકસ્‍માત થવાના પણ અનેક બનાવો બનતા રહે છે. બીજી બાજુ દુનિયાના અનેક દેશો અને એશિયા મહાદ્વીપ તથા મિડલઈસ્‍ટના ઘણાં દેશો જેવા કે જાપાન, મલેશિયા, ઈન્‍ડોનેશિયા, ફીલીપાઈન્‍સ, નેપાલ, સંયુક્‍ત અરબ અમિરાત, સાઉદી અરબ, ઈરાક તથા ઈઝરાયલ જેવા દેશોમાં પણ ટુવ્‍હીકલમાટેની વયમર્યાદા 18 વર્ષથી ઓછી છે. તેથી આપણાં દેશમાં 16 વર્ષની વયમર્યાદા કરવા શ્રી હિરેન જોષીએ કેન્‍દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે.

Related posts

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

વાપી ચણોદ ગ્રામસભા રસ્‍તાના મુદ્દે જમીન માલિકો આમને સામને આવતા સભા તોફાની બની

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment