August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

  • દમણવાડા ગ્રા.પં.ના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે પાણીની ભરતીમાં બે યુવાનોને તણાતા જોતાં સ્‍થાનિક યુવાનોએ તાત્‍કાલિક કિનારે રહેલી બોટને પાણીમાં ઉતારી એક યુવાનને બચાવવા મેળવેલી સફળતાઃ બીજા યુવાનને કોસ્‍ટગાર્ડના હેલિકોપ્‍ટરે રેસ્‍ક્‍યુ કરી બચાવી લીધો

  • બારિયાવાડ ખાતેના દરિયા કિનારે સતત બની રહેલી ડૂબવાની ઘટનાઃ તંત્રએ સાવચેતીના પગલાં ભરવા આવશ્‍યક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
આજે સ્‍થાનિક યુવાનો, સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડના સંયુક્‍ત પ્રયાસથી મોટી દમણના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સાંજે લગભગ 4:30 થી 5:00 વાગ્‍યાના સુમારે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતે આવેલા સમુદ્રકિનારે વાપી-રાતા ખાતે રહેતા લગભગ 17 થી 18 વર્ષની ઉંમરના બે યુવાનો ન્‍હાવા પડયા હતા. તેવામાં આવેલી મોટી ભરતીમાં બે યુવાનો તણાઈ રહ્યા હોવાનું સ્‍થાનિક યુવાનોએ જોયું હતું. તેઓએ તાત્‍કાલિક કિનારે રહેલી પોતાની બોટને પાણીમાં ઉતારી જીવના જોખમે એક યુવાનને હેમખેમ બચાવી લીધો હતો. જ્‍યારે બીજો યુવાન તેમની પકડથી બહાર રહ્યો હતો પરંતુ પ્રશાસને વાપરેલી સતર્કતાથી કોસ્‍ટગાર્ડનું હેલિકોપ્‍ટર પણ રેસ્‍ક્‍યુ માટે આવી ગયું હતું. જેના પરિણામે બીજા યુવાનને પણ હેમખેમ બચાવી લેવાયો હતો.
આ ઘટનાની ખબર મળતાં જ તાત્‍કાલિક દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા અને મામલતદાર શ્રી સાગર ઠક્કર ઘટના સ્‍થળે ધસી ગયા હતા. પોલીસ ટીમ પણ તૈનાત હતી.
અત્રે નોંધનીય છે કે, બારિયાવાડ ખાતે આવેલ આ જગ્‍યામાં વારંવાર અકસ્‍માતોની ઘટના બની રહી છે. નજીકના ભૂતકાળમાં પણ 4 જેટલી બાળાઓ આ જગ્‍યાએ જ ડૂબી ગઈ હતી. તેથી પ્રશાસન આ સ્‍થળે ચેતવણીના બોર્ડ તથા અકસ્‍માતના કારણનું નિરાકરણ લાવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એગ્રી સ્‍ટેકનું સર્વર ડાઉન થતાં નોંધણી માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા સાથે ધક્કા ખાવાની નોબત આવતા ભારે રોષ

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણની સરકારી સર્વોત્તમ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘‘નશામુક્‍તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment