July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

  • દમણવાડા ગ્રા.પં.ના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે પાણીની ભરતીમાં બે યુવાનોને તણાતા જોતાં સ્‍થાનિક યુવાનોએ તાત્‍કાલિક કિનારે રહેલી બોટને પાણીમાં ઉતારી એક યુવાનને બચાવવા મેળવેલી સફળતાઃ બીજા યુવાનને કોસ્‍ટગાર્ડના હેલિકોપ્‍ટરે રેસ્‍ક્‍યુ કરી બચાવી લીધો

  • બારિયાવાડ ખાતેના દરિયા કિનારે સતત બની રહેલી ડૂબવાની ઘટનાઃ તંત્રએ સાવચેતીના પગલાં ભરવા આવશ્‍યક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
આજે સ્‍થાનિક યુવાનો, સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડના સંયુક્‍ત પ્રયાસથી મોટી દમણના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સાંજે લગભગ 4:30 થી 5:00 વાગ્‍યાના સુમારે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતે આવેલા સમુદ્રકિનારે વાપી-રાતા ખાતે રહેતા લગભગ 17 થી 18 વર્ષની ઉંમરના બે યુવાનો ન્‍હાવા પડયા હતા. તેવામાં આવેલી મોટી ભરતીમાં બે યુવાનો તણાઈ રહ્યા હોવાનું સ્‍થાનિક યુવાનોએ જોયું હતું. તેઓએ તાત્‍કાલિક કિનારે રહેલી પોતાની બોટને પાણીમાં ઉતારી જીવના જોખમે એક યુવાનને હેમખેમ બચાવી લીધો હતો. જ્‍યારે બીજો યુવાન તેમની પકડથી બહાર રહ્યો હતો પરંતુ પ્રશાસને વાપરેલી સતર્કતાથી કોસ્‍ટગાર્ડનું હેલિકોપ્‍ટર પણ રેસ્‍ક્‍યુ માટે આવી ગયું હતું. જેના પરિણામે બીજા યુવાનને પણ હેમખેમ બચાવી લેવાયો હતો.
આ ઘટનાની ખબર મળતાં જ તાત્‍કાલિક દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા અને મામલતદાર શ્રી સાગર ઠક્કર ઘટના સ્‍થળે ધસી ગયા હતા. પોલીસ ટીમ પણ તૈનાત હતી.
અત્રે નોંધનીય છે કે, બારિયાવાડ ખાતે આવેલ આ જગ્‍યામાં વારંવાર અકસ્‍માતોની ઘટના બની રહી છે. નજીકના ભૂતકાળમાં પણ 4 જેટલી બાળાઓ આ જગ્‍યાએ જ ડૂબી ગઈ હતી. તેથી પ્રશાસન આ સ્‍થળે ચેતવણીના બોર્ડ તથા અકસ્‍માતના કારણનું નિરાકરણ લાવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

દિપાવલીના પાવન પર્વ પર માઁ વિશ્વંભરી તીર્થધામે ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ગણદેવી નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્‍ઠાનો ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment