April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

મોટાભાગના વાલીઓની આર્થિક સ્‍થિતિ યોગ્‍ય નહીં હોવાથી પોતાના બાળકોના અભ્‍યાસ માટે શાળા તથા ટયુશન સુધી લાવવા-લઈ જવા ખાનગી વાહનનો ઉપયોગ કરવો શક્‍ય નથી તેથી ગિયરવાળા ટુવ્‍હીલરનો ઉપયોગ કરાતા પોલીસ દ્વારા વસૂલાતા ભારે દંડ અને તેમનાથી બચવા બાળકો દ્વારા કરાતી દોડાદોડના કારણે અકસ્‍માતોની પણ વધેલી સંખ્‍યા

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક-પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીને ડ્રાઈવિંગ લાયસન્‍સ પ્રાપ્ત કરવાની વયમર્યાદા 18 વર્ષથી ઘટાડી 16 વર્ષ કરવા માટે તર્કસંગત રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીએ પોતાના પત્રમાં જણાવ્‍યું છે કે, આજે ભાગદોડવાળી જીંદગીમાં બાળકો ગિયરવાળા દ્વીચક્રી વાહનોનો ઉપયોગ શાળામાં આવવા અને જવા માટે કરે છે. જેના કારણે તેમના વાલીઓને પણ ચિંતા ઓછી રહે છે. કારણ કે, મોટાભાગના વાલીઓ નોકરી-ધંધા માટે વ્‍યસ્‍ત રહેતા હોય છે અને તેમને રીક્ષા કે બીજા વાહનોનો ખર્ચ પરવડી શકતો નથી. જેના કારણે પોતાના બાળકના સુંદર ભવિષ્‍ય માટે દ્વીચક્રી વાહન આપવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ રહેતો નથી.
દ્વીચક્રી વાહન ચલાવતા બાળકોને પકડવા માટે પોલીસ દ્વારા કરાતા અભિયાનના કારણે તેમની પાસે લાયસન્‍સ નહીં હોવાથી પોલીસને જોઈ ભાગદોડ કરાતા અકસ્‍માત થવાના પણ અનેક બનાવો બનતા રહે છે. બીજી બાજુ દુનિયાના અનેક દેશો અને એશિયા મહાદ્વીપ તથા મિડલઈસ્‍ટના ઘણાં દેશો જેવા કે જાપાન, મલેશિયા, ઈન્‍ડોનેશિયા, ફીલીપાઈન્‍સ, નેપાલ, સંયુક્‍ત અરબ અમિરાત, સાઉદી અરબ, ઈરાક તથા ઈઝરાયલ જેવા દેશોમાં પણ ટુવ્‍હીકલમાટેની વયમર્યાદા 18 વર્ષથી ઓછી છે. તેથી આપણાં દેશમાં 16 વર્ષની વયમર્યાદા કરવા શ્રી હિરેન જોષીએ કેન્‍દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે.

Related posts

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment