September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના દપાડા ગામમા રહેતો યુવાન થોડા દિવસ અગાઉ કોઈક કારણસર ગુમ થયો હતો. જે સંદર્ભે એમના પરિવારના સભ્‍યોએ એમના પુત્રનુ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી સાથે એસપીને પણ આ સંદર્ભે લેખિત રજૂઆત કરી હતી. છતાં પણ યુવાનનો પતો ના લાગ્‍યો હતો. ગુરુવારના રોજ સાંજે આ યુવાનની લાશ ખડોલી ગામેથી મળતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દપાડા ગામે રહેતા દિલીપ જાનીયા ધોડિયા જે એક મહિના પૂર્વે ગુમ થયો હતો. ગુમ થનાર યુવક એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેના અંગે પરિવારના સભ્‍યોએ રખોલી પોલીસ સ્‍ટેશનમા ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી. એક અઠવાડિયા સુધી કોઈપણ પતો ના લાગતા પરિવારના સભ્‍યોએ એસપીને મળી એમના પુત્રનું અપહરણ થયું હોવાની લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુમ થયાના એક મહિના બાદ ખડોલી ખાતેથી દિલીપની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ખાનવેલ પોલીસ અને સેલવાસ પોલીસની ટીમ પહોંચી હતી અને લાશનો કબજો લઈને પી.એમ માટે મોકલી આપી હતી. યુવાનની હત્‍યા થઈ છે કે કુદરતી રીતે મૃત્‍યુ થયું છે તથા એક મહિનાથીયુવાન કયાં હતો? વગેરે ચર્ચાઓ પંથકમાં થઈ રહી છે. યુવાનનું મૃત્‍યુ કેવી રીતે થયું છે એ એ પી.એમ રિપોર્ટ આવે પછી જ બહાર આવશે. આ મામલે દાનહ પોલીસ બધી જ શકયતાને ધ્‍યાનમાં લઈને તપાસ કરી રહી છે.

Related posts

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

દમણમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત વિશાળ મહિલા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આપેલો મંત્ર : સ્‍વસ્‍થ, મસ્‍ત અને વ્‍યસ્‍ત રહો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

Leave a Comment