April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, 27: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના વાવર તથા હુંડા ગામો ખાતે જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદ લોકોને ખેતીમાં મદદરૂપ થાય એવા આશયથી 22 જેટલા ગૌવંશનું દાન કરવામાં હતું. આ કાર્યક્રમમાં શાંતિ મંદિર મગોદના સ્‍વામી નિત્‍યાનંદ, કોમલાનંદજી, શ્રી આનંદ વલ્લભ ભટ્ટ અને શ્રીલાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્‍ટી અનીશભાઈ શેઠીયાના સહકારથી ગૌદાન કાર્યક્રમનું જાયન્‍ટ્‍સ પ્રમુખ ડૉ.આશા ગોહિલ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં જાયન્‍ટ્‍સ ગૃપના હંસા પટેલ, શિલ્‍પા દોડીયા, મહેશભાઈ ગાંવિત, વાવર ગામના સરપંચ માહદુભાઈ સરનાયક, હુંડા ગામના સરપંચ રંજનબેન હીલીમ ગમના આગેવાનો કાળુભા સહિત અન્‍ય વડીલોના સહકારથી પર્વતીય પ્રદેશમાં ખેતી માટે ગૌવંશ પૂરા પાડવામાં આવ્‍યા હતા.

Related posts

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

સુરંગી પંચાયત વિસ્‍તારમાં રસ્‍તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો પરેશાન

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

Leave a Comment