March 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ તાલુકાની સોળસુંબા પંચાયતની રેવન્‍યુ સર્વે નંબર 532 વાળી જમીનમાં પંચાયતની પરવાનગી વગર બાંધકામ શરૂ કરી દેતા બાંધકામ કરનાર શ્રી દામજીભાઈ પ્રેમજીભાઈ કચ્‍છી, શ્રી જયસુખભાઈ પરસોત્તમભાઈ રામાણી, શ્રી પુરુષોત્તમભાઈ ચંદુલાલ ભાનુશાલી, શ્રી જયંતીભાઈ હરજીભાઈ બરવાળીયા, શ્રી દિનેશભાઈ કાળુભાઈ કોપરાને નોટિસ ફટકારી બાંધકામ બંધ કરવા જણાવ્‍યું છે. આ અગાઉ પંચાયતે બે નોટિસની બજવણી કરી સૂચના આપવામાં આવી હતી. સોળસુંબા પંચાયતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 104 મુજબ મકાનના બાંધકામ પર નિયંત્રણ રાખવાની જવાબદારીની કાર્યવાહીના મળેલા અધિકારો રૂએ પગલા ભરવાની શરૂઆત કરી છે. જે માટે પંચાયતની જોગવાઈ મુજબ વળી કચેરીએ આ બાબતની જાહેર સેવાના હિતમાં વિગતવાર અહેવાલ સાથે દરખાસ્‍ત કરી જાણ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે નગર આયોજન અને મૂલ્‍યાંકન ખાતું નગર નિયોજકની કચેરી દ્વારા 36 જેટલી શરતોની આધીન સક્ષમ સત્તા અધિકારીશ્રી પાસેથી બાંધકામની મંજૂરી મેળવી લેવા અભિપ્રાય આપેલો હોવાનું જણાઈ રહ્યું છે. આ શરતોમાં શરત નંબર 3, શરત નંબર 7, શરતનંબર 8, શરત નંબર 15, શરત નંબર 17, શરત નંબર 18, શરત નંબર 19,20,21,22 સહિત કેટલીક શરતોમાં બતાવેલા નિયમોનું પાલન કર્યું છે કે નહીં એની ચકાસણી કરવાનુ પંચાયત દ્વારા નોંધવામાં આવી રહ્યું છે. આમ બાંધકામ થઈ રહેલા સ્‍થળ ઉપર નિરીક્ષણ કર્યા બાદ કેટલીક ગેરકાયદેસર હકીકતો બહાર આવશે એમાં બે મત નથી.

Related posts

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah

Leave a Comment