July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

ચૂંટણી જાહેર કરવામાં ઓ.બી.સી. બેઠકોના કોકડાનું ગ્રહણ નડી રહ્યું છે : ત્રણેય પાલિકાઓની મુદત 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુર પાલિકાઓની ચૂંટાયેલી પાંખની મુદ્દત પુરી થઈ ગઈ છે. તેથી પાલિકાઓના વહિવટનું સુકાન વહિવટદારો પાસે રહેશે. બીજી તરફ નવિન ચૂંટણી જાહેરાતના ઈંતજાર સાથે રાજકીય તખ્‍તામાં થનગનાટ શરૂ થઈ ગયો છ.
વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુર પાલિકાઓની ચૂંટાયેલી પાંખની મુદત ગત તા.25 ફેબ્રુઆરી 2023માં પુરી થઈ ચુકી છે. તેથી ત્રણેય પાલિકાઓનું સુકાન વહિવટદારોના હાથમાં સરકી ગયું છે. નવિન ચૂંટણીની જાહેરાત પણ હાલ પુરતી અટવાઈ છે કારણ કે રાજકોશ ગીર સોમનાથ, બનાસકાંઠા જિલ્લાની કેટલીક પાલિકાઓની મુદત પણ પૂર્ણ થયેલી છે પરંતુ તમામ પાલિકાની નવિન ચૂંટણીમાં ઓ.બી.સી. બેઠકો લાગું કરવાની છે અને આ માટે જસ્‍ટીસ કે.આર. ઝવેરી પંચ (આયોગ)નો આ બેઠકો માટેનો રિપોર્ટ જાહેર થયો નથી તેની અસર વલસાડ જિલ્લાની ત્રણ પાલિકાઓને પણ છે. સંભવતઃ આયોગનો રિપોર્ટ આગામી 12માર્ચ 2023 સુધી આવી શકે એમ છે. ત્‍યાર બાદ પાલિકા ચૂંટણીઓ અંગેનું જાહેરનામું બહાર પડશે. એટલીસ્‍ટ ચૂંટણી નક્કી છે એટલે રાજકીય પાર્ટીઓમાં હિલચાલ શરૂ થઈ ગઈ છે. રિપિટ કે નો રિપિટ કઈ ફોમ્‍યુલા જાહેર થશે તેથી મથામણ પણ ચૂંટણી લડનારા પણ હાલ કરી રહ્યા છે. પુરી થયેલી મુદત સુધી ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન હતું હવે ફરી નવી ચૂંટણી જંગના મંડાણ થશે.

Related posts

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

Leave a Comment