Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

ચૂંટણી જાહેર કરવામાં ઓ.બી.સી. બેઠકોના કોકડાનું ગ્રહણ નડી રહ્યું છે : ત્રણેય પાલિકાઓની મુદત 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુર પાલિકાઓની ચૂંટાયેલી પાંખની મુદ્દત પુરી થઈ ગઈ છે. તેથી પાલિકાઓના વહિવટનું સુકાન વહિવટદારો પાસે રહેશે. બીજી તરફ નવિન ચૂંટણી જાહેરાતના ઈંતજાર સાથે રાજકીય તખ્‍તામાં થનગનાટ શરૂ થઈ ગયો છ.
વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુર પાલિકાઓની ચૂંટાયેલી પાંખની મુદત ગત તા.25 ફેબ્રુઆરી 2023માં પુરી થઈ ચુકી છે. તેથી ત્રણેય પાલિકાઓનું સુકાન વહિવટદારોના હાથમાં સરકી ગયું છે. નવિન ચૂંટણીની જાહેરાત પણ હાલ પુરતી અટવાઈ છે કારણ કે રાજકોશ ગીર સોમનાથ, બનાસકાંઠા જિલ્લાની કેટલીક પાલિકાઓની મુદત પણ પૂર્ણ થયેલી છે પરંતુ તમામ પાલિકાની નવિન ચૂંટણીમાં ઓ.બી.સી. બેઠકો લાગું કરવાની છે અને આ માટે જસ્‍ટીસ કે.આર. ઝવેરી પંચ (આયોગ)નો આ બેઠકો માટેનો રિપોર્ટ જાહેર થયો નથી તેની અસર વલસાડ જિલ્લાની ત્રણ પાલિકાઓને પણ છે. સંભવતઃ આયોગનો રિપોર્ટ આગામી 12માર્ચ 2023 સુધી આવી શકે એમ છે. ત્‍યાર બાદ પાલિકા ચૂંટણીઓ અંગેનું જાહેરનામું બહાર પડશે. એટલીસ્‍ટ ચૂંટણી નક્કી છે એટલે રાજકીય પાર્ટીઓમાં હિલચાલ શરૂ થઈ ગઈ છે. રિપિટ કે નો રિપિટ કઈ ફોમ્‍યુલા જાહેર થશે તેથી મથામણ પણ ચૂંટણી લડનારા પણ હાલ કરી રહ્યા છે. પુરી થયેલી મુદત સુધી ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન હતું હવે ફરી નવી ચૂંટણી જંગના મંડાણ થશે.

Related posts

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિનું પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરેલું સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

સરીગામના એકમોને હોનારત સમયે રક્ષણ પૂરું પાડવા એસઆઈએની ટીમે સ્‍ટેટમાં કાર્યરત મોટા એકમો વચ્‍ચે મ્‍યુચ્‍યુઅલ એડ એગ્રીમેન્‍ટ અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાનિંગ માટે બોલાવેલી બેઠક

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

Leave a Comment