January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ તાલુકાની સોળસુંબા પંચાયતની રેવન્‍યુ સર્વે નંબર 532 વાળી જમીનમાં પંચાયતની પરવાનગી વગર બાંધકામ શરૂ કરી દેતા બાંધકામ કરનાર શ્રી દામજીભાઈ પ્રેમજીભાઈ કચ્‍છી, શ્રી જયસુખભાઈ પરસોત્તમભાઈ રામાણી, શ્રી પુરુષોત્તમભાઈ ચંદુલાલ ભાનુશાલી, શ્રી જયંતીભાઈ હરજીભાઈ બરવાળીયા, શ્રી દિનેશભાઈ કાળુભાઈ કોપરાને નોટિસ ફટકારી બાંધકામ બંધ કરવા જણાવ્‍યું છે. આ અગાઉ પંચાયતે બે નોટિસની બજવણી કરી સૂચના આપવામાં આવી હતી. સોળસુંબા પંચાયતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 104 મુજબ મકાનના બાંધકામ પર નિયંત્રણ રાખવાની જવાબદારીની કાર્યવાહીના મળેલા અધિકારો રૂએ પગલા ભરવાની શરૂઆત કરી છે. જે માટે પંચાયતની જોગવાઈ મુજબ વળી કચેરીએ આ બાબતની જાહેર સેવાના હિતમાં વિગતવાર અહેવાલ સાથે દરખાસ્‍ત કરી જાણ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે નગર આયોજન અને મૂલ્‍યાંકન ખાતું નગર નિયોજકની કચેરી દ્વારા 36 જેટલી શરતોની આધીન સક્ષમ સત્તા અધિકારીશ્રી પાસેથી બાંધકામની મંજૂરી મેળવી લેવા અભિપ્રાય આપેલો હોવાનું જણાઈ રહ્યું છે. આ શરતોમાં શરત નંબર 3, શરત નંબર 7, શરતનંબર 8, શરત નંબર 15, શરત નંબર 17, શરત નંબર 18, શરત નંબર 19,20,21,22 સહિત કેટલીક શરતોમાં બતાવેલા નિયમોનું પાલન કર્યું છે કે નહીં એની ચકાસણી કરવાનુ પંચાયત દ્વારા નોંધવામાં આવી રહ્યું છે. આમ બાંધકામ થઈ રહેલા સ્‍થળ ઉપર નિરીક્ષણ કર્યા બાદ કેટલીક ગેરકાયદેસર હકીકતો બહાર આવશે એમાં બે મત નથી.

Related posts

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરાયો:  રખોલી પીએચસી ખાતેથી વાનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

vartmanpravah

વાપી બલીઠા સ્‍મશાન ભૂમિ પાસેથી 627 વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દાનહઃ સાયલી ભીલોસા કંપની નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment