April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

માંદોની ચોકીના ઈન્‍ચાર્જ ભરત પરમારે બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ, જન સુનાવણી રૂમ અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112 તથા શષાાગાર અને વાયરલેસ સેટ અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દાદરા નગર હવેલીના બેડપા પટેલાદની સરકારી શાળાના બાળકોને આજે શૈક્ષણિક પ્રવાસ કરાવાયો હતો જેમાં ખાનવેલ પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવી પોલીસની કાર્યપ્રણાલીની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. બાળકોની જીજ્ઞાસાનો પોલીસના જવાનોએ સાહજિક રીતે જવાબો આપ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ઈકો ફ્રેન્‍ડલી કાર્યક્રમ હેઠળ બેડપા પટેલાદની સરકારી શાળાના બાળકો આજે ખાનવેલ પોલીસ સ્‍ટેશન પરિસરમાં પહોંચ્‍યા હતા. જ્‍યાં માંદોની ચોકીના ઈન્‍ચાર્જ શ્રી ભરત પરમારે બાળકોનું સ્‍વાગત કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, પોલીસ એ જનતાનો મિત્ર છે. મુલાકાત દરમિયાન બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ તથા જન સુનાવણીરૂમમાં લઈ જવાયા હતા અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112, શષાાગાર તથા વાયરલેસ સેટ અંગેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રી ભરત પરમારે પોલીસ ‘જનતાનો મિત્ર’ છે તેથી ક્‍યારેય પણ કોઈપણ મુશ્‍કેલીના સમયે સંકોચ વગર પોલીસને જાણ કરવા જણાવ્‍યું હતું. પોલીસ 24 કલાક હંમેશા મદદ કરવા માટે તૈયાર છે. ત્‍યારબાદ બાળકોને આપાતકાલિન નિયમો બાબતે જાણકારી આપવા અને તેનું પાલન કરાવવા શિક્ષકોને માર્ગદર્શન આપ્‍યું હતું. શિક્ષકો તથા આચાર્યશ્રીને માહિતી આપવામાં આવી હતી કે, બાળકોને શાળાનું ઓળખપત્ર, વાલીનો મોબાઈલ નંબર, બ્‍લડ ગ્રુપની જાણકારી રાખવી જરૂરી છે. જેથી આપાતકાળની સ્‍થિતિમાં તાત્‍કાલિક મદદ કરી શકાય. બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટેના વાહનચાલકો, હેલ્‍પરોની હંમેશા ઓળખ રાખવી અને તેમનો મોબાઈલ નંબર તથા પુરૂં સરનામું રાખવા શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીને જણાવ્‍યું હતું.

Related posts

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્‍તપિત મુક્‍ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્‍તરીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેર-2023નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment