April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: નાની દમણ ખાતે દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત સાપ્તાહિક શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞમહોત્‍સવના છઠ્ઠા દિવસે આજે પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્‍યાસે ઉદ્ધવચરિત્ર, મહારાસલીલા અને કૃષ્‍ણ-રૂકમણી વિવાહનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગે કથામંડપ પરિસરમાં શ્રી કૃષ્‍ણ અને રૂકમણીનાં લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન ભક્‍તો પોતાના હરખને રોકી શક્‍યા ન હતા અને લગ્ન સમારોહ દરમિયાન રજૂ કરાયેલા ભજનો દરમિયાન ઉત્‍સાહપૂર્વક મન મૂકીને ઝૂમી ઉઠયા હતા.
અત્રે યાદ રહે કે, દિલીપ નગર વિકાસ સંઘ દ્વારા તા.26 ફેબ્રુઆરીથી દિલીપ નગર મેદાન ખાતે શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્‍યાસે આજે વ્‍યાસપીઠ ઉપરથી પંચ અધ્‍યાયનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, મહારાસમાં પાંચ અધ્‍યાય છે. તેમાં ગાયેલા પાંચ ગીતો ભાગવતના પાંચ જીવન છે, જે કોઈ પણ ઠાકુરજીના આ પાંચ ગીતો ભાવથી ગાય છે તે ભવ પાર છે. તેને વૃંદાવનની ભક્‍તિ સરળતાથી મળી જાય છે. કથામાં શ્રી ભરતભાઈએ ભગવાનનું મથુરા જવું, કંસનો વધ, મહર્ષિ સાંદીપનિના આશ્રમમાં શિક્ષણ મેળવવું, ઉદ્ધવ-ગોપી સંવાદ, દ્વારકાની સ્‍થાપના, રૂકમણી વિવાહ વગેરેનું સંગીતમય રીતે ભાવાત્‍મક પઠન કર્યું હતું. કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, શ્રધ્‍ધા અને આસ્‍થા સાથે ભગવાનનીપ્રાપ્તિ કરવી જરૂરી છે. પરમાત્‍માની પ્રાપ્તિ માટે નિヘય અને પરિશ્રમ પણ જરૂરી છે. આજના ભગવાન શ્રી કૃષ્‍ણ રૂકમણીના વિવાહની ઝાંખીએ સૌને ખૂબ જ ખુશ કરી દીધા હતા. કથા દરમિયાન ભક્‍તિ સંગીતે શ્રોતાઓને આનંદથી ભરી દીધા હતા. કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્‍યાસે કહ્યું હતું કે જે ભક્‍તો પ્રેમીકૃષ્‍ણ રૂકમણીના લગ્ન સમારોહમાં જાય છે, તેમની વૈવાહિક સમસ્‍યાઓ કાયમ માટે સમાપ્ત થઈ જાય છે.
આ પ્રસંગે આકર્ષક વેશભૂષામાં શ્રી કૃષ્‍ણ અને રૂકમણી વિવાહની ઝાંખી રજૂ કરીને લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. કથાની સાથે ભજન સંગીત પણ રજૂ કરાયું હતું. આજે કથામાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, શ્રીમતી તરૂણાબેન પટેલ અને અન્‍ય મોટી સંખ્‍યામાં ભક્‍તોએ ભાગવત કથાનો લ્‍હાવો લીધો હતો.
આવતી કાલે શનિવારે શ્રીમદ્‌ ભાગવત કથામાં સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સંદર્ભ સાથે કથાનું સમાપન કરવામાં આવશે. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં તમામ ભક્‍તોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah

સામરવરણી ખાતેની ખાનગી શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં મસાટ પંચાયત દ્વારા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદન પત્ર

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment