April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

માંદોની ચોકીના ઈન્‍ચાર્જ ભરત પરમારે બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ, જન સુનાવણી રૂમ અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112 તથા શષાાગાર અને વાયરલેસ સેટ અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દાદરા નગર હવેલીના બેડપા પટેલાદની સરકારી શાળાના બાળકોને આજે શૈક્ષણિક પ્રવાસ કરાવાયો હતો જેમાં ખાનવેલ પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવી પોલીસની કાર્યપ્રણાલીની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. બાળકોની જીજ્ઞાસાનો પોલીસના જવાનોએ સાહજિક રીતે જવાબો આપ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ઈકો ફ્રેન્‍ડલી કાર્યક્રમ હેઠળ બેડપા પટેલાદની સરકારી શાળાના બાળકો આજે ખાનવેલ પોલીસ સ્‍ટેશન પરિસરમાં પહોંચ્‍યા હતા. જ્‍યાં માંદોની ચોકીના ઈન્‍ચાર્જ શ્રી ભરત પરમારે બાળકોનું સ્‍વાગત કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, પોલીસ એ જનતાનો મિત્ર છે. મુલાકાત દરમિયાન બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ તથા જન સુનાવણીરૂમમાં લઈ જવાયા હતા અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112, શષાાગાર તથા વાયરલેસ સેટ અંગેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રી ભરત પરમારે પોલીસ ‘જનતાનો મિત્ર’ છે તેથી ક્‍યારેય પણ કોઈપણ મુશ્‍કેલીના સમયે સંકોચ વગર પોલીસને જાણ કરવા જણાવ્‍યું હતું. પોલીસ 24 કલાક હંમેશા મદદ કરવા માટે તૈયાર છે. ત્‍યારબાદ બાળકોને આપાતકાલિન નિયમો બાબતે જાણકારી આપવા અને તેનું પાલન કરાવવા શિક્ષકોને માર્ગદર્શન આપ્‍યું હતું. શિક્ષકો તથા આચાર્યશ્રીને માહિતી આપવામાં આવી હતી કે, બાળકોને શાળાનું ઓળખપત્ર, વાલીનો મોબાઈલ નંબર, બ્‍લડ ગ્રુપની જાણકારી રાખવી જરૂરી છે. જેથી આપાતકાળની સ્‍થિતિમાં તાત્‍કાલિક મદદ કરી શકાય. બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટેના વાહનચાલકો, હેલ્‍પરોની હંમેશા ઓળખ રાખવી અને તેમનો મોબાઈલ નંબર તથા પુરૂં સરનામું રાખવા શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીને જણાવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment