Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

વાછરડાઓ પણ દાઝી જવાના કારણે સ્‍થિતિ ગંભીર: કોઢારમાં સાથે રાખેલઘાસની 400 જેટલી ગાંસડી તથા 500 જેટલી ખાતરની ગુણી બળીને ખાખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતે એક ખેડૂતને ત્‍યાં કોઢારમાં આગ લાગતા 11 ગાયો અને એક ભેસનું મોત થતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અમ્રતસિંહ મોહનસિંહ સોલંકી ઉમરગામ તાલુકાના બોરીગામ રાજપુત ફળિયા ખાતે રહે છે, જેઓ એક ખેડૂત છે અને સાથે પશુપાલનનો ધંધો કરે છે. જેમના ઘરની પાછળના ભાગે પશુઓ માટે કોઢાર બનાવવામાં આવેલ છે. આજે કોઢારના પાછળના ભાગેથી કોઈક કારણસર બપોરે બે વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટના જોતા અમ્રતભાઈના પરિવારના સભ્‍યો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને તમામે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ રૂપ પકડી લીધું હતું. ત્‍યારબાદ ફાયર ફાઈટર વિભાગને જાણ કરી હતી. તાત્‍કાલિક ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી મોરચો સંભાળી લીધો હતો, પરંતુ કોઢારમાં પશુઓ સાથે બાજુમાં ઘાસચારો પણ ભરેલો હતો તેથી ફાયર ફાઈટરો આવે તે પહેલાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. કોઢારમાં ગાયો અને ભેંસોને દોરી વડે બાંધેલ હતી જેના કારણે તેઓ ભાગી શક્‍યા નહિઅને આગની વિકરાળ જ્‍વાળાના કારણે 1 ભેંસ અને 11 જેટલી ગાયોના કમકમાભટી ભર્યા મોત થયા હતા. કોઢારમાં નાના વાછરડાંઓ પણ દાઝી ગયા છે, ઉપરાંત અંદર રાખવામાં આવેલ 500 ગુણી ખાતર અને 400 ઘાસની ગાંસડીઓ પણ બળીને ખાખ થઈ જવા પામી હતી.
ફાયરની ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી. પરંતુ 1 ભેંસ સહિત 11 જેટલી ગાયોના મોત થતાં પંથક તથા ઉમરગામ તાલુકા સહિત વાપી, સેલવાસ, દમણ વિસ્‍તારમાં પશુપાલકો તથા આમજનતામાં ભારે દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related posts

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

vartmanpravah

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

Leave a Comment