July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.06: મજીગામ સ્‍થિત પોસ્‍ટ ઓફિસમાં મજીગામ અને મલવાડા ગામના 1250 જેટલા લોકો વિવિધ પ્રકારના ખાતાઓ ધરાવે છે. આ પોસ્‍ટ ઓફિસમાં પાસબુકો કર્મચારીએ પોતાની પાસે જ રાખી હોવાની બાબતે વિવાદ બહાર આવતા ખાતેદારોના ખાતાઓમાંથી મોટી રકમની ખાતેદારો એટલેગ્રાહકોની જાહેર બહાર લેવડ દેવડ કરી મોટી રકમની ગોબાચારી આચરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ સમગ્ર બાબત બહાર આવતા પોસ્‍ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ કર્મચારીને બચાવવાના કારભારમાં આ કર્મચારી દ્વારા કેટલીક રકમની ભરપાઈ પણ કરી દેવામાં આવી હોવાની ચર્ચા પણ બહાર આવી રહી છે જોકે આ રકમ જે તે ગ્રાહકોના ખાતામાં ભરી પાસબુકમાં એન્‍ટ્રી કરી કદાચ સરભર કરવાની દિશામાં પણ કારભાર ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્‍યારે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલે તો પોસ્‍ટ વિભાગ દ્વારા ટીમ બનાવી ગ્રાહકોના ઘરે ઘરે જઈને પાસબુકો એકત્ર કરી વેરીફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ પાછલા દરવાજે નાણાંની ભરપાઈ કરી સરભર કરી હકીકત પર પડદો પાડી દેવામાં આવે તો નવાઈ નહિ.
ચીખલી પોસ્‍ટ ઓફિસના અંકુરભાઈ જોષીના જણાવ્‍યાનુસાર અમારી ટીમ મજીગામમાં ફરે છે અને પાસબુકો ઉઘરાવાનું ચાલું છે. હાલે 550 જેટલી પાસબુકો વેરીફાઇડ કરાઈ છે. જેમાં કશું આવ્‍યું નથી. તમામ પાસબુકો આવ્‍યા બાદ સિસ્‍ટમમાં ચેક કરાયા બાદ કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય હાલે તપાસ ચાલુ છે.

Related posts

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

vartmanpravah

વલસાડ જિલ્લો બન્‍યો યોગમયઃ તિથલ સ્‍વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment