Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિનોદ સોનકરે બૂથ જીતવા નિષ્‍ઠાથી કાર્ય કરવા કરેલી હાકલ

દેશમાં ભાજપ માટે નબળી ગણાતી 160 બેઠકોમાં દાનહનો પણ સમાવેશઃ આ બેઠક જીતવા શરૂ થનારા તનતોડ પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: ભાજપના દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના પ્રભારી અને ભાજપના રાષ્‍ટ્રીય સચિવ તથા ઉત્તર પ્રદેશની કોસાંબી લોકસભાના સાંસદ શ્રી વિનોદ સોનકર પોતાના ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે સવારે દિલ્‍હી જવા રવાના થયા હતા.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે પોતાના ત્રણ દિવસના વ્‍યસ્‍ત કાર્યક્રમ દરમિયાન કોર કમીટિની બેઠકમાં હાજર રહી પ્રદેશના વરિષ્‍ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. સ્‍ટેટ આઈ.ટી. સેલ અને સોશિયલ મીડિયાના પ્રદેશ કાર્યાલયનું ઉદ્‌ઘાટન પણ શ્રી સોનકરે કર્યું હતું.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સૂચનથી સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલ લોકસભા પ્રવાસ કાર્યક્રમની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ દેશની 160 એવી લોકસભા બેઠક છે કે જ્‍યાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો હતો. આ બેઠકમાં દાદરા નગર હવેલીની બેઠકનો પણ સમાવેશ કરાયો છે. લોકસભા પ્રવાસ કાર્યક્રમના દાદરા નગર હવેલી બેઠકના પ્રભારી કેન્‍દ્રીય મંત્રી શ્રી કૌશલ કિશોર છે અને તેમનો પ્રવાસ સમય સમય ઉપર થતો રહેશે.
શ્રી વિનોદ સોનકરે દુણેઠા ખાતેડયુન્‍સ રેસિડેન્‍સીના ક્‍લબ હાઉસમાં બૂથ સશક્‍તિકરણ અભિયાનની ગતિવિધિની સમીક્ષા પણ કરી હતી.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે દરેક કાર્યકર્તાઓને બૂથ મજબૂત કરવા માટે એકજૂથ થઈ કામ કરવા આહ્‌વાન કર્યું હતું અને જેઓ નિષ્‍ક્રિય છે તેમની સાથે પણ ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. છતાં તેઓ સંગઠનનું કાર્ય નથી કરતા તો તેમના સ્‍થાને અન્‍ય લોકોને જવાબદારી આપવા પણ નિર્દેશ આપ્‍યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આગામી ચૂંટણીમાં આપણા તમામનું લક્ષ બૂથ ઉપર જીત મેળવવાનું છે.
પ્રત્‍યેક મંડળ ઉપર પાર્ટીનો સ્‍થાપના દિવસ, ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતિને સમરસતા દિવસ, ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ, પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ તથા અટલ બિહારી વાજપેયીની જન્‍મ જયંતિને સુશાસન દિવસ વગેરેની ઉજવણી કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, બૂથ સશક્‍તિકરણ અભિયાનના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી મહેશ ગાવિત, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

માસ્‍ટર ટ્રેનરોની પાંચ દિવસીય કાર્યશાળાનું સમાપન: સંઘપ્રદેશના શિક્ષણ વિભાગની પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રતિબદ્ધતા

vartmanpravah

પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment