April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

કળીયુગમાં ભાગવત કલ્‍પવૃક્ષથી પણ વિશેષઃ સુપ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: દિલીપનગર ડેવલપમેન્‍ટએસોસિએશન દ્વારા આયોજીત સાપ્તાહિક શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવના બીજા દિવસે આજે સોમવારે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસે સુખદેવજીના જન્‍મની કથાનું શ્રવણ કરાવતા જણાવ્‍યું હતું કે, કળીયુગમાં ભાગવત મહાપુરાણ કલ્‍પવૃક્ષથી પણ વિશેષ છે. કથા અર્થ ધર્મ કામની સાથે સાથે ભક્‍તિ અને મુક્‍તિ પ્રદાન કરાવી જીવને પરમ પદ પ્રાપ્ત કરાવે છે.
દિલીપનગર ગ્રાઉન્‍ડ ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવતના બીજા દિવસે પરિક્ષિત સુખદેવની કથા અને વૈદિક મંત્રોની સાથે ભાગવત કથાનો આરંભ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસે શ્રીમદ્‌ ભાગવત કથાનું મહાત્‍મ્‍ય સમજાવતા જણાવ્‍યું હતું કે, ભગવાન માનવને જન્‍મ આપતા પહેલાં કહે છે કે, એવું કર્મ કરવું જેથી બીજો જન્‍મ નહીં લેવો પડે. શ્રીમદ્‌ ભાગવત કથાને સાંભળવું દાન વ્રત તિર્થથી પણ વધીને છે. ભાગવતના શ્રોતાની અંદર જીજ્ઞાસા અને શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્‍મા દેખાતો નથી પરંતુ તે દરેકમાં વસે છે. આપણાં પૂર્વજો હંમેશા પૃથ્‍વીનું પૂજન અને રક્ષા કરી છે. તેના બદલામાં પૃથ્‍વીએ માનવનું રક્ષણ કર્યું છે.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભણતરથી કંટાળી પારડીના યુવાને ગોવાની વાટ પકડી: સોશિયલ મીડિયાના સહારે યુવાનને શોધી કાઢતી પારડી પોલીસ

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment